google.com, newstruggle : ફેબ્રુઆરી 2025

મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2025

આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ

આગામી દિવસોમાં રાજ્યનું તાપમાન 2થી 3 ડિગ્રી વધશે.

છેલ્લા ઘણા વર્ષોથી ફેબ્રુઆરીમાં દરિયાકાંઠે હીટવેવની સ્થિતિ વધતી જાય છે. પવનના બદલાવને કારણે પણ હીટવેવની સ્થિતિ ઊભી થતી હોય છે. કોસ્ટલ વિસ્તારમાં સામાન્ય રીતે હૂંફાળું કન્ડિશન રહેતી હોય છે અને યલો એલર્ટના કારણે 3થી 4 ડિગ્રી તાપમાન વધી શકે છે. 


પવનની દિશા ફેબ્રુઆરીથી લઈને એપ્રિલ સુધી અનિયમિત હોય છે તેથી તાપમાનમાં વધઘટનું પ્રમાણ જોવા મળતું હોય છે. મે મહિનામાં નેઋત્વ દિશામાં પવન સેટ થવા લાગે છે. રાજ્યમાં એક અઠવાડિયામાં ગરમીનું પ્રમાણ ઘણું વધી જશે.' - ડૉ. મનોજ લુણાગરિયા, પ્રાધ્યાપક-વડા, હવામાન શાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સિટી

આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં યલો એલર્ટ.


રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાની વિદાય પહેલાં જ ગરમી આકરી થવા લાગી છે. સવાર-સાંજ આંશિક ઠંડકને બાદ કરતાં આખો દિવસ ગરમીનો પારો ઊંચો જતો રહે છે.

 હજુ ઉનાળો બેઠો પણ નથી ને રાજ્યના હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ દરિયાકાંઠા વિસ્તારો વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યું કે, સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનના કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેના કારણે ગરમી અને બફારાના પ્રમાણમાં વધારો થશે. 

દાસે વધુમાં જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફુંકાયા છે.


1 કાંઠા વિસ્તારોમાં કેમ યલો એલર્ટ?

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર મુજબ, ગરમ-ભેજવાળા હવામાનના અનુભવને લીધે સૌરાષ્ટ્ર-કચ્છ અને દ. ગુજરાતના કાંઠા વિસ્તારોમાં 24થી 28 ફેબ્રુઆરી સુધી યલો એલર્ટ અપાયું છે. તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભેજ આવી રહ્યો છે જેના કારણે અકળામણનો અનુભવ થશે. હાલમાં ઉત્તર અને ઉત્તર પૂર્વની દિશામાં પવન આવી રહ્યો છે. જેના લીધે તાપમાન સામાન્યથી ઉપર ગયું છે.

24 આગામી 7 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે.

રાજ્યમાં આગામી સાત દિવસ હવામાન સૂકું રહેશે. 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારબાદ તાપમાનામાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. અમદાવાદના તાપમાન અને પવનની દિશા વિશે એ. કે. દાસે જણાવ્યું કે, અત્યારે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વ છે. 24 કલાક દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે.


ઉત્તર-મધ્ય ગુજરાતના શહેરોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. માર્ચની શરૂઆતમાં હવામાન ફરી બદલાવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જેના કારણે રાજ્યમાં બેવડું હવામાન રહેશે. આ સાથે રાજ્યમાં હવામાન હવે ધીમે ધીમે ગરમ થવા લાગશે.


















રવિવાર, 23 ફેબ્રુઆરી, 2025

વેસ્ટર્નડિસ્ટર્બન્સની ચેતવણીઃ ઉ.ભારતથી રાજસ્થાન-એમપી સુધી વરસાદની આગાહી, આવનારાં દિવસો માં તાપમાન 2 ડીગ્રી વધી શકે છે.

 ઉત્તર ભારતમાં ગરમીની ઋતુની શરૂઆતની અસર થવા લાગી છે, એવા સમયે ભારતીય હવામાન વિભાગે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચેતવણી અને આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જમ્મુ-કાશ્મીર, લદ્દાખમાં ૨૫-૨૭ ફેબ્રુઆરી, હિમાચલપ્રદેશમાં ૨૬-૨૭ ફેબ્રુઆરી, ઉત્તરાખંડમાં ૨૭ ફેબ્રુઆરીએ વરસાદ પડવાની સંભાવના છે.


 જ્યારે પૂર્વોત્તર ભારતમાં ૨૨-૨૩ ફેબ્રુઆરીએ આંધી-તોફાન, વરસાદ અને કરા પડવાની ચેતવણી છે. આ ઉપરાંત, એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૨૪ ફેબ્રુઆરીએ આવવાનું છે,


જેનાથી ઉત્તર-પશ્ચિમ ભારતના હવામાનમાં પલટો થશે અને પંજાબ,હરિયાણા, ચંડીગઢમાં ૨૬-૨૭ફેબ્રુઆરી, પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં ૨૭ ફેબુઆરીએ વરસાદ પડશે. છેલ્લા ૨૪ કલાકમાં મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, આંતરિક ઓડિશા, પશ્ચિમી તટ અને પૂર્વોત્તર ભારતમાં ઘણાં સ્થળોએ દિવસના તાપમાનમાં ૧થી ૨ ડિગ્રીનો વધારો થયો છે. 


પશ્ચિમ હિમાલયી ક્ષેત્રમાં ઘણા સ્થળોએ તાપમાનમાં ૦૬-૧૨ ડિગ્રીનો ઘટાડો થયો છે.


કાશ્મીર-લદાખ, હિમાચલ, ઉત્તરાખંડમાં બરફવર્ષા થઈ શકે.


હવામાન વિભાગ અનુસાર, ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ ઓડિશામાં આંધી, વીજળી સાથે છૂટાછવાયાથી લઈને ઘણો વ્યાપક હળવો-મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 

૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ પશ્ચિમ બંગાળમાં ગંગાના મેદાની પ્રદેશમાં અને ઝારખંડમાં આંધી, વીજળી સાથે ૩-થી ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેની સંભાવના છે. 

૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહારમાં આંધી અને વીજળી સાથે છૂટાછવાયાથી લઈને હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. ૨

૫-૨૭ ફેબ્રુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર-લદાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વ્યાપક રીતે હળવાથી મધ્યમ વરસાદ, બરફવર્ષા થઈ શકે છે.



રવિવાર, 9 ફેબ્રુઆરી, 2025

નેશનલ હાઈવે પર ટોલ-ટેક્સમાં મોદી સરકાર આપી શકે છે રાહત, નીતિન ગડકરી એ આપ્યો સંદેશ. યમુનામાં પ્લેન ઊતરશેઃ નીતિન ગડકરી

 નેશનલ હાઈવે પર ટોલ-ટેક્સમાં મોદી સરકાર આપી શકે છે રાહત, નીતિન ગડકરી એ આપ્યો સંદેશ. 



મધ્યમ વર્ગને આવકવેરામાં ભારે રાહત આપવાના કેટલાક દિવસોમાં જ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે મોદી સરકાર હવે નેશનલ હાઈવે વપરાશકારોને ફાયદો પહોંચાડવા માટે એકસમાન ટોલનીતિ પર કામ કરી રહી છે. 


કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મિનિસ્ટર ગડકરીએ મીડિયાને જણાવ્યું હતું કે પ્રવાસીઓને ટૂંક સમયમાં જ રાહત મળશે. 

તેમણે જણાવ્યું હતું કે અમારી યોજના પરની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જો કે ગડકરીએ એ બાબતની ચોખવટ કરી ન હતી કે ટોલ ટેક્સને ઘટાડવામાં આવશે કે પછી સમાપ્ત કરી દેવામાં આવશે.

 તેમણે જણાવ્યું હતું કે સરકાર નેશનલ હાઇવેવ્ઝ પર એક બેરિયર સહિત ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ આધારિત ટોલ સિસ્ટમ પર કામ કરી રહી છે. 


નીતિન ગડકરીએ ટોલ ખર્ચ સાથે જોડાયેલાં વિવિધ મિમ્સ પર પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે તેઓ જાણે છે કે સોશિયલ મીડિયા પર તેમના કાર્ટૂન અને મિમ્સ વાઈ રલ થઈ રહ્યા છે. લોકો ટોલને લઈને થોડા નારાજ છે. 

જો હું ફક્ત એટલું કહી શકું કે તેમનો ગુસ્સો કેટલાક દિવસોમાં ખતમ થઇ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર ૨૦૨૪ના રોજ લોકસભામાં ગડકરીએ જણાવ્યું હતું કે ૨૦૦૦થી અત્યાર સુધીમાં જાહેર-ખાનગી ભાગીદારી(પીપીપી) મોડલ હેઠળ સંચાલિત ટોલ પ્લાઝાઓ દ્વારા લગભગ ૧.૪૪ લાખ કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો હતો.


યમુનામાં પ્લેન ઊતરશેઃ નીતિન ગડકરી


નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે દિલ્હીમાંથી વહેતી યમુના નદીને સાફ કરવામાં આવશે અને તેને વિમાન લેન્ડિંગ સ્ટ્રીપમાં બદલવામાં આવશે. 

જ્યારે તેમને યમુનાના ભવિષ્ય અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતુ કે તેમની પાસે એક યોજના છે. તેમણે ઉમેર્યું હતું કે આ યોજનાનો અમલ ગુજરાતમાં થઇ ચૂક્યો છે. સાબરમતી નદીને લેન્ડિંગ સ્ટ્રીપ તરીકે ઉપયોગમાં લેવાય છે અને જણાવ્યું હતું કે યમુના માટે પણ આવી યોજના બનાવવામાં આવી રહી છે. દિલ્હીથી ૧૩ મિનિટમાં આગ્રા જઈ શકાશે.



ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું મહત્તમ તાપમાનમાં ૧.૩ ડિગ્રીનો વધારો થયો. રાજ્ય માં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થયો. હવે ફેબ્રુઆરી માં જ ગરમી અનુભવાશે.

ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું મહત્તમ તાપમાનમાં ૧.૩ ડિગ્રીનો વધારો થયો. રાજ્ય માં એક સાથે બેવડી ઋતુનો અનુભવ થયો. હવે ફેબ્રુઆરી માં જ ગરમી અનુભવાશે.

રાજયમાં છેલ્લા એક સપ્તાહમાં ઠંડીનુ પ્રમાણ ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ ઉત્તરોત્તર વધી રહ્યુ છે. સવારે સામાન્ય ઠંડીના અનુભવ બાદ દિવસભર ઉનાળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 



હવામાન વિભાગના જણાવ્યાં - અનુસાર રાજયના મોટાભાગના શહેરોના મહત્તમ તાપમાનમાં ૧.૩  ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં પણ ૨.૯ ડિગ્રીનો વધારો નોધાયો છે.


આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટા ફેરફારને અવકાશ નથી. હાલમાં રાજયમાં ઉત્તરપૂર્વી પવનનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં નોધાયેલા તાપમાનમાં સૌથી વધુ સુરત માં ૩૪.૬ ડિગ્રી અને સૌથી ઓછુ તાપમાન નલિયામાં ૧૧ ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદમાં પણ તાપમાનનો પારો ધીરે ધીરે વધીને ૩૧ ડિગ્રીએ પહોંચ્યો છે અને લઘુતમ ૧૬ ડિગ્રી નોધાયુ છે.


અત્યાર સુધી ઠંડીનુ પ્રમાણ કચ્છ જીલ્લામાં જોવા મળતુ હતુ. જો કે અંહીયા પણ ઠંડી ગાયબ થઈ જતા ભૂજમાં સૌથી વધુ ૩૩.૭ ડિગ્રી તાપમાન નોધાયુ છે. જયારે ઠંડુગાર રહેતા નલિયામાં મહત્તમ તાપમાન ૩૧ અને સૌથી ઓછુ ૧૧ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે. અન્ય શહેરની વાત કરીએ તો ગાંધીનગરમાં સૌથી વધુ ૨૮.૮ અને સૌથી ઓછુ તાપમાન ૧૪.૮ ડિગ્રી નોધાયું હતુ.


પૂણેમાં પારો ૩૬ ડિગ્રી, ફેબ્રુઆરીની ગરમી જોતા મે-જૂનમાં સૌથી વધુ તાપમાન નોંધાશે.

ઉત્તર ભારતમાં જાન્યુઆરીનો મહિનો ગાત્રો થીજવી દેતી ઠંડી વચ્ચે પસાર થયો છે. પરંતુ ફેબુઆરી મહિનો આવતા જ હવામાને એકદમ પલટી મારી દીધી છે.

 ઉત્તર ભારતમાં લોકોએ રજાઈઓ સંકેલવની શરૂ કરી દીધી છે. રાતની ઠંડી ઘટી છે. દિવસે આકરો તડકો પડે છે તેમજ પરસેવો વળવા નું શરૂ થઈ ગયો છે. 

દિલ્હી, નોઈ ડા, પૂણે, લખનઉ, ભુવનેશ્વર, વગેરે જેવા શહેરો ફેબ્રુઆરીમાં હજુ સુધીમાં ભારતના એવા શહેરો રહ્યા છે. જ્યાંનું તાપમાન સામાન્ય કરતા વધારે રહ્યું છે. આખરે ફેબુઆરીમાં આટલી ગરમી શા માટે પડી રહી છે? અને જો આવા હાલ રહેશે તો મે અને જૂન જ્યારે તાપમાન ટોચ પર હોય છે ત્યારે શું હાલ થશે? 

મહારાષ્ટ્રના પૂણેમાં બુધવારે મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે રહ્યું હતું. દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી રહ્યું હતું જે સામાન્ય કરતા લગભગ ચાર ડિગ્રી વધારે હતું.

 

ઓડિશાના ભુવનેશ્વરમાં ફેબ્રુઆરીના પ્રારંભથી જ પારો ૩૫ ડિગ્રી પર પહોંચી ગયો હતો.


કેરળના કોટ્ટાયમમાં પણ મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી થયું છે. આટલી બધુ તાપમાન ફેબ્રુઆરી મહિના માટે અસામાન્ય કહેવાય છે. ગરમીની સિઝનનો હજુ સુધી સત્તાવાર રીતે પ્રારંભ નથી થયો. જો ફેબુઆરી મહિનામાં જ તાપમાન સામાન્ય કરતા વધારે છે તો આગામી મે અને જૂન મહિનામાં ભયાનક ગરમી પડવાની સંભાવના વધી જાય છે. 


હવામાન વિજ્ઞાનીઓનું માનવું છે કે મે અને જૂનમાં વધારે પડતી ગરમીનો સામનો કરવો પડી શકે છે.


તાજેતરના વર્ષમાં ભારતમાં હવામાનની પેટર્નમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન જોવા મળ્યા છે. ગરમીના મહિનાઓમાં તાપમાનમાં રેકોર્ડ તાપમાન, ચોમાસાની અનિયમિતતા અને શિયાળામાં ઓછી ઠંડી પડવી જેવી ઘટનાઓ સામાન્ય થઈ ગઈ છે. સેન્ટર ફોર સાઈન્સ એન્ડ એન્વાયરનમેન્ટના તાજેતરના રિપોર્ટ અનુસાર ૨૦૨૪ના પહેલા નવ મહિનાના ૨૭૪ દિવસમાં ૨૫૫ દિવસ એસ્ટ્રીમ વેધર ઇવેન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો. 


રિપોર્ટ અનુસાર આ ઘટનાઓમાં રેકોર્ડતોડ ગરમી અને ઠંડી, ચક્રવાત, વીજળી, ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલન સામેલ હતા. આ ઘટનાઓમાં ૩,૨૩૮ લોકોના જીવ ગયા હતા અને ૩.૨ મિલિયન હેક્ટર જમીન વિસ્તારમાં પાક પ્રભાવિત થયો હતો. ૨૩૫,૮૬૨ ઘર અને ઈ મારતો નાશ પામી હતી અને લગભગ ૯,૪૫૭પશુઓનાં મોત થયા હતા. 


IMDની આગાહી શું છે.


હવામાન વિભાગે આગાહી કરી છે કે ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં માસિક લઘુતમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો સિવાય મોટાભાગના વિસ્તારોમાં વધારે ગરમી પડશે..





શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2025

રાજ્ય માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂથયો. ૨૧ દીવસ બાદ ઠંડીનો પારો ૧૪ ડિગ્રી નીચે તાપમાંન થયું, એક સાથે બેવડી ઋતુનો અનુભવ થયો.

 રાજ્ય માં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂથયો. ૨૧ દીવસ બાદ ઠંડીનો પારો ૧૪ ડિગ્રી નીચે તાપમાંન થયું, એક સાથે બેવડી ઋતુનો અનુભવ થયો.

ભાવનગર અને રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયું હોય તેમ સતત બીજા દિવસે ઠંડો પવન ફૂંકાતા લોકોએ દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડયાં હતા. તો ૨૧ દિવસ બાદ ઠંડીનો પારો ૧૪ ડિગ્રીની નીચે પહોંચી જતાં રાત ટાઢીબોળ રહી હતી.


દિવસે ૨૪ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા રહ્યું. રાજ્ય માં ઠંડી ની લહેર આવી.

શહેરમાં ચાલુ સપ્તાહના પ્રારંભે મહત્તમ તાપમાન ૩૨ ડિગ્રીએ પહોંચી ગયા બાદ છેલ્લા ત્રણ દિવસથી ઠંડીમાં થયેલા વધારાના પગલે તાપમાન નીચે સરકી રહ્યું છે. તેમાં પણ ગત રાત્રે શિયાળાના મધ્ય જેવી ઠંડીનો અહેસાસ થતાં લઘુતમ તાપમાન દોઢ ડિગ્રી નીચે ગગડી ૧૩.૯ ડિગ્રીએ પહોંચી ગયું હતું. રાત્રે કડકડતી ઠંડી પડયા બાદ આજે ફરી પવનદેવ આકરા મિજાજમાં રહ્યા હતા.


 બપોરના સમયે ૨૪ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા ઠંડા પવનને કારણે નગરજનોએ ગરમ વસ્ત્રો ધારણ કરી રાખવા પડયા હતા. ઠંડીની અસરથી બચવા માટે ઘણાં લોકોએ તો તડકાનો સહારો લેવો પડયો હતો. દિવસે ૨૪ કિ.મી. ની ઝડપે પવન ફૂંકાવાના કારણે આંશિક ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૨૭.૭ ડિગ્રીએ સ્થિર થયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૨ ટકા નોંધાયું હતું.


ઠંડીનો ચમકારો : ૮ શહેરમાં ૧૪ ડિગ્રીથી નીચું તાપમાન.


અમદાવાદમાં ઠંડીનો ચમકારો યથાવત્ રહેતાં સળંગ બીજા દિવસે ૧૫ ડિગ્રીથી નીચું સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસમાં તાપમાન ૩ ડિગ્રી વધતાં ઠંડીમાં રાહતની હવામાન વિભાગની આગાહી છે.


નલિયામાં ૮.૬ સાથે સૌથી નીચું તાપમાન : રાજકોટમાં ૧૦.૭, અમદાવાદમાં ૧૪.૩ ડિગ્રી.


અમદાવાદમાં ગત રાત્રિના ૧૪.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ મંગળવારે રાતે ૧૧.૪ ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. આજે દિવસ દરમિયાન ૨૮.૧ ડિગ્રી સાથે અમદાવાદના સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૬ ડિગ્રીનો ઘટાડો હતો.


 આગામી ૩ દિવસ અમદાવાદનું લઘુતમ તાપમાન ૧૬ ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.


ગત રાત્રિના નલિયામાં ૮.૬ ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં ૧૦.૭, ડીસામાં ૧૧.૧, પોરબંદરમાં ૧૨.૨, ગાંધીનગરમાં ૧૩.૩, ભુજમાં ૧૩.૪, વડોદરામાં ૧૩.૮, ભાવનગરમાં ૧૩.૯, અમરેલીમાં ૧૪.૧, દાહોદમાં ૧૪.૭, સુરતમાં ૧૬.૬ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન હતું.

🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟

અમારા વ્હોટસએપ ગ્રૂપ માં જોડાવા માટે અહી ક્લીક કરો.


https://chat.whatsapp.com/D6Nniwr0w0tI5smg7S3v2H


હવામાન આજ નું હવામાન