માર્ચથી મે મહિના સુધી ભયંકર ગરમી પરસેવા ના પાણીએ રડાવે તેવી આઇએમડીની આગાહી.
ફેબ્રુઆરીમાં ગરમીએ ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો, આગામી ત્રણ મહિના ભારે ગરમીનો અનુભવ થશે.
જાન્યુઆરી મહિનો ૧૯૦૧ બાદ ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો, શિયાળામાં ગરમી અને માર્ચમાં સામાન્યથી વધુ તાપમાનની આગાહી,ખેડૂતોની ચિંતા વધી શકે.
દેશમાં હવામાનમાં આજકાલ ભારે વિષમતા જોવા મળી રહી છે. પહાડી રાજ્યો આકરી હિમવર્ષા, વરસાદ અને ભૂસ્ખલનથી પીડિત છે. તો દેશના અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પુરની સ્થિતિ છે તો બીજી તરફ અમુક વિસ્તારોમાં ફેબ્રુઆરીમાંથી ગરમીએ હેરાન કરવાનું શરુ કર્યું છે.
પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શિયાળાની સીઝનમાં જ આ વખતે ઉનાળાએ દસ્તક દઈ દીધી છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ છેલ્લા ૧૨૫ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અને આવનારા સમયમાં પણ ગરમી વધારે હેરાન કરશે તેવી આગાહી છે.
વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ બંને મહિના અત્યાર સુધીના રેકોર્ડમાં ટોચના ત્રણ ગરમ મહિનાઓમાં સામેલ છે.
જાન્યુઆરી ૨૦૨૫નો માહોલ ૧૯૦૧ બાદ ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો હતો. દેશમાં ગરમીનું હાલ તો આ ટ્રેઇલર છે અને પિક્ચર તો બાકી છે. મે-જૂન સુધીમાં તો ગરમી રાતા પાણીએ રોવડાવશે.
હવામાન વિભાગના નું માનીએ તો 2025 માં વધું ગરમી અનુભવાશે.
હવામાન વિભાગે પહેલા જ ચેતવણી આપી દીધી છે કે આ વખતે સામાન્ય કરતા વધારે ગરમી પડશે. ૧૯૦૧ બાદ જ્યારથી દેશમાં હવામાનનો રેકોર્ડ રાખવાની શરુઆત થઈ હતી, ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૨૫ દેશમાં સૌથી વધારે ગરમ મહિનો નોંધાયો છે.
IMDએ ગરમી માટે શું ચેતવણી આપી છે?
આઇએમડીના સીનિયર વિજ્ઞાની ડીએસ પાઇએ આગામી માર્ચથી મે સુધી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતા વધારે ગરમી પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રાયદ્વીપીય ભારતના કેટલાક સુદૂરવર્તી દક્ષિણી ભાગો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમા માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહી શકે છે.
ઘઉંના પાક પર શું અસર પડી શકે?
માર્ચ મહિનો વધારે ગરમ રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે કારણ કે ફેબ્રુઆરી ૧૯૦૧ બાદ સૌથી ગરમ રહ્યો હતો. આ દરમિયાન સરેરાશ તાપમાન ૨૨.૦૪ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય તાપમાન ૨૦.૭૦ ડિગ્રી કરતા ૧.૩૪ ડિગ્રી વધારે હતું. રવી પાક પર ગરમીની અસર વિશે પુછાતા આઈએમડીના સીનિયર વિજ્ઞાનીએ કહ્યું હતું કે કૃષિ મંત્રાલયના નિષ્ણાતો સાથે તેમની થયેલી ચર્ચા અનુસાર દેશમાં ઉગાડવામાં આવતા લગભગ ૬૦ ટકા ઘઉની પ્રજાતિ ગરમી પ્રતિરોધક છે.
-------------------------------------------------------------------
0 ટિપ્પણીઓ