* જોવાલાયક સ્થળો :-

છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો

હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર


-> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે.

દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો

આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.



ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે.


→ આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો.

પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસેથી કર્કવૃત્ત પસાર થાય છે.

અમદાવાદ ની ધોળા દિવસ ની કહાની

ખેડબ્રહ્મા :- ખેડબ્રહ્મા હરણાવ નદીના કિનારે વસેલું છે. પરંતુ ખેડબ્રહ્માથી પહેલા હરણાવને બીજી બે નદીઓ કોસંબી અને ભીમાક્ષી મળે છે. ખેડબ્રહ્માથી આગળ હરણાવ નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.

નવસારી ની ખાસ વાતો 

→ સમગ્ર ભારતમાં બ્રહ્માજીનાં માત્ર બે જ મંદિરો છે. એક રાજસ્થાનમાં પુષ્કર ખાતે તથા બીજું ગુજરાતમાં ખેડબ્રહ્મામાં છે. બ્રહ્માની ચતુર્મુખ મૂર્તિના કારણે આ નગર “ખેડબ્રહ્મા” કહેવાયું.


→ ખેડબ્રહ્મામાં અંબાજીનું મંદિર આવેલું હોવાથી “નાના અંબાજી’” તરીકે પણ ઓળખવામાં આવે છે.


વડાલી :- અહીંથી 13મી સદીના શિલાલેખો મળી આવ્યા છે.


♦ પોળો:-વિજયનગરની પાસે અનુમૈત્રક કાળમાં બંધાયેલાં જૈનમંદિરોનો સમૂહ આવેલ છે.


સપ્તેશ્વર ઃ સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવનું મંદિર :- આવેલું છે.


સાબરકાંઠા :- વિદ્યાપીઠ :- સાબરગ્રામ વિદ્યાપીઠ, સનોસણ 


પોશીના (ગુણભાખરી) :- શ્વેતાંબર જૈનોનું તીર્થધામ


→ અહીં ગુણભાખરી ગામે સાબરમતી, આકુલ અને વ્યાકુલ નદીઓના ત્રિવેણીસંગમે હોળીના બે અઠવાડિયા પછી ચિત્ર-વિચિત્રનો આદિવાસી મેળો ભરાય છે. (ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય શાંતનુ રાજાના બે પુત્રો હતા.)

સુરત જિલ્લા વિશિષ્ટ વાતો

* મુખ્ય નદીઓ :- હાથમતી નદી સાબરકાંઠાની મુખ્ય નદી છે. આ ઉપરાંત હરણાવ, ગુહાઈ વગેરે અગત્યની નદીઓ છે.


સાબરમતી નદી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે. સિંચાઈ યોજના :- હરણાવ બંધ-1 ખેડબ્રહ્મા ખાતે - હરણાવ નદી પર


→ હરણાવ બંધ-II (વણજડેમ) - વણજ, તાલુકો - વિજયનગર, હરણાવ નદી પર

ડાંગ જિલ્લાના જોવાલયક સ્થળો....


ગુહાઈ ડેમ – ખાંડિયાલ ગામ, તાલુકો - હિંમતનગર - ગુહાઈ નદી પર * ખેતી :- બાજરી, ઘઉં, મકાઈ, કપાસ, મગફળી, બટાટા વગેરેની ખેતી થાય છે.


ખનીજ :- સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અરસોડિયા ખાતે ચિનાઈ માટીનો જથ્થો આવેલો છે. જે એશિયાનો ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો છે. આ ઉપરાંત એકલારા ખાતેથી પણ ચિનાઈ માટી મળી આવે છે.


* ઉદ્યોગ :- સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિરામિક ઉદ્યોગનો વિકાસ થયો છે. જેમાં હિંમતનગર ખાતે આવેલી એશિયન ગ્રેનિટો લિમિટેડ (AGL) જાણીતી સંસ્થા છે. આ ઉપરાંત હિંમતનગર ખાતે લાકડાના ફર્નિચરનો ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે. તેમ જ ક્વૉરી ઉદ્યોગ પણ વિકસેલ છે.


* રાષ્ટ્રીય રાજમાર્ગ :- રાષ્ટ્રીય રાજમાર્ગ નંબર-8 (નવો નંબર-48) પસાર થાય છે.


* મેળા ઃઃ-


ચિત્ર-વિચિત્રનો મેળો :- ગુણભાખરી ગામ, તાલુકો - પોશીના ખાતે યોજાતો આદિવાસી લોકમેળો હોળીના પખવાડિયા પછી ભરાય છે.


વાવ / કૂવા ઃ- કાઝી વાવ – હિંમતનગર 


કુંડ / તળાવ :- હંસલેશ્વર તળાવ – ઈડર રણમલસર રાણી તળાવ - ઈડર


→ સપ્તેશ્વર મહાદેવનો કુંડ - સપ્તેશ્વર, ઈડર


* ડેરી :- સાબરડેરી - હિંમતનગર (ભોળાભાઈ પટેલ દ્વારા સ્થાપિત)


વિશેષતા: 


બ્રિટિશકાળમાં સાબરકાંઠા જિલ્લો મહીકાંઠા એજન્સીનો ભાગ હતો. પરંતુ સામાજિક કાર્યકરોના આંદોલનના કારણે તેમનું અલગનામકરણ ‘સાબરકાંઠા’ કરવામાં આવ્યું.


→ સમગ્ર એશિયામાં ચિનાઈ માટીનું સૌથી મોટું ક્ષેત્ર “અરસોડિયા તાલુકો-ઈડર” સાબરકાંઠામાં આવેલું છે.

→ સમગ્ર ભારતની સૌપ્રથમ ઍનિમલ હૉસ્ટેલ ‘આકોદરા’ ગામ ખાતે હિંમતનગર પાસે આવેલી છે.


સાબરકાંઠા જિલ્લાની સરહદ :


→ ઉત્તરે રાજસ્થાન રાજ્ય, પૂર્વમાં અરવલ્લી જિલ્લો, દક્ષિણમાં ગાંધીનગર અને પશ્ચિમમાં મહેસાણા અને બનાસકાંઠા જિલ્લા આવેલા છે.


સાબરકાંઠા :-


♦ મુખ્યમથક : હિંમતનગર •


 તાલુકા : 8


ખેડબ્રહ્મા


ઈડર


વડાલી.


પ્રાંતિજ 


તલોદ


પોશીના


હિંમતનગર


વિજયનગર 


* ક્ષેત્રફળ - 4138 ચો.કિ.મી.


♦ કુલ વસતી - 13,75,600


♦ લિંગપ્રમાણ - 950


♦ શિશુ લિંગપ્રમાણ - 899


♦ વસતીગીચતા - 328


સાક્ષરતા - 76.60%


♦ સ્ત્રી સાક્ષરતા - 65.29%


પુરુષ સાક્ષરતા - 87.45%