google.com, newstruggle : ડિસેમ્બર 2023

રવિવાર, 31 ડિસેમ્બર, 2023

સોનું ખરીદવા નું હોઈ તો આજેજ ખરીદો નહિતર ભાવ વધશે આસમાને!

કેલેન્ડર ૨૦૨૩માં ૧૫ ટકાથી વધુ વળતર આપ્યાં પછી નવા વર્ષે પણ ગોલ્ડ સારુ વળતર દર્શાવે તેવી શક્યતાં  ઓ એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે. તેમના મતે ઝડપથી બદલાઈ રહેલાં પરિબળો સોનાની તરફેણમાં જોવા મળી રહ્યાં છે. જેને જોતાં આગામી વર્ષે પીળી ધાતુ તેની નવી ટોચ દર્શાવે તેવી પ્રબળ શક્યતાં છે. જેમાં ફેર તરફથી રેટ કટ મહત્વની ભૂમિકા ભજવશે. એનાલિસ્ટ્સ માને છે કે જીઓપોલિટિકલ સ્થિતિ, ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો, વૈશ્વિક ગોથમાં નરમાઈ તથા અગણી અર્થતંત્રોમાં ચૂંટણીઓને લઈ અનિશ્ચિતતા જેવા પરિબળો ગોલ્ડ માટે પોઝિટિવ બની રહેશે. 

    બીજી બાજુ, ટોચની સેન્ટ્રલ બેંક્સ ગોલ્ડમાં સતત વિક્રમી ખરીદી કરી રહી છે. તેમનું એસેટ ડાયવર્સિફિકેશન લોંગ-ટર્મ ઘટના છે અને તે આગામી વર્ષોમાં ચાલુ રહી શકે છે. પીપલ્સ બેંક ઓફ ચાઈના ગોલ્ડની સૌથી મોટી ખરીદાર બની રહી છે. મધ્યસ્થ બેંકો ૧૩-વર્ષોથી ગોલ્ડમાં નેટ બાયર જોવા મળી છે. ડિસેમ્બર બેઠકમાં ફેડ ચેરમેને નવા કેલેન્ડરમાં ત્રણ રેટ કટના સંકેતો આપ્યાં હતાં. અલબત્ત, તે માટે ડેટા મહત્વનો બની રહેશે. જો બે રેટ કટ પણ થશે તો તે ગોલ્ડ માટે પોઝિટિવ ગણાશે. ડોલર ઈન્ડેક્સમાં છેલ્લાં બે સપ્તાહથી જોવા મળતો ઘટાડો વધુ નરમાઈના સંકેતો આપે છે. જેની પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સ વધુ ઘસાઈ શકે છે. તે પ ટકાની ટોચ પરથી ગગડી ૩.૮૫ ટકા પર ટ્રેડ થઈ રહ્યાં છે. આઈએમએફના મતે વૈશ્વિક આર્થિક વૃદ્ધિ દરમાં ઘટાડાની શક્યતાં છે. જે ગોલ્ડમાં ફાળવણીને પ્રેરશે. મધ્ય-પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. જે પણ ગોલ્ડની સેફ- હેવન અપીલને પોરસી રહ્યો છે. 
 આ તમામ - કારણોને જોતાં ગોલ્ડ ૨૦૨૪માં રૂ. - ૭૨૦૦૦ પ્રતિ ૧૦ ગામની ટોચ દર્શાવી - શકે છે. જવારે ચાંદીમાં પણ રૂ. ૮૫૦૦૦- - ૮૮૦૦૦ પ્રતિ કિમાનો ટાર્ગેટ જણાય છે. • વૈશ્વિક બજારમાં ચાંદી ૨૬ ડોલરની સપાટી • પાર કરશે તો ૩૪ ડોલર સુધી ઉછળી શકે છે.

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎👉👉👉🔎🔎

24 કેરેટ સોનાનો ભાવ,સોનાનો ભાવ આજે અમદાવાદ,1 તોલા સોનાનો ભાવ ગુજરાત.સિલ્વર નો આજનો ભાવ.1 તોલા સોનાનો ભાવ 2023.ચાંદી નો આજનો ભાવ દાહોદ.1 તોલા સોનાનો ભાવ.આજનો સોનાનો ભાવ 22 કેરેટ.આજનો સોનાનો ભાવ ગુજરાતમાં.ચાંદી નો આજનો ભાવ અમદાવાદ.10 ગ્રામ.સોનાના ભાવ.સોના નો આજનો ભાવ.












શનિવાર, 30 ડિસેમ્બર, 2023

નવા વર્ષ ની શરુઆત માં જ ફરી કમોસમી વરસાદ ની આગાહી, આ વિસ્તાર માં વરસાદ ની આગાહી

       આ વર્ષના મોસમમાં ભારે પરિવર્તન જોવા મળેલ હતું. બીપરજોય વાવાઝોડા બાદ ભારતીય વરસાદની પેટર્નમાં ઘણો ફેરફાર જોવા મળ્યો હતો. સાલના મજબૂત અલ નીનોની અસરનો ભારતની મોસમ ઉપર જબરો પ્રભાવ જોવા મળ્યો હતો અને હજુ પણ મે-૨૦૨૪ સુધી અલ નીનોનો પ્રભાવ રહેશે તેવા અવલોકનો આવે છે. આ ઉપરાંત ભારતની ઉત્તર-પશ્ચિ મે જે પશ્ચિમી વિક્ષેપ આવવા જોઈએ તે પણ નબળા આવતા દેશમાં શિયાળામાં પડતી ઠંડીમાં વિક્ષેપ જોવા મળેલ હતો તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.


          શિયાળામાં બરાબર ઠંડી ના પડે તો તેની અસર કેટલાક શિયાળું પાક પર પડતી હોય છે. વિશેષ કરીને થઉં જેવા પાક ઉપર પડતી હોય છે. આ અંગે જોઈએ તો ૨૦૨૪ની શરૂઆતમાં જોઈએ તો આ ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષની શરૂઆતમાં એક પશ્ચિમી વિક્ષેપ આવશે. જેની અસર દેશ સહિત ગુજરાતના હવામાન ઉપર થવાની શક્યતાઓ રહેવાની સંભાવનાઓ છે. જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ રહેશે. જાન્યુઆરી તા.૪ સુધીમાં દેશના ઉત્તર-પશ્ચિમ ભાગો તેમજ દેશના ઘણા ભાગોમાં હવામાન ક્ષેત્રે ફેરફાર થવાની શક્યતા રહેશે. જેમાં કચ્છના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે. દેશના ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, કરા સાથે કમોસમી વરસાદની સંભાવનાઓ રહેતા ઉત્તરીય-પર્વતીય પ્રદેશોમાં થતી બરફવર્ષાના લીધે જાન્યુઆરીની શરૂઆતમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. 

ચિલીના જંગલ વિકરાળ લાગેલી આગ

      ડિસેમ્બર તા.૨૭-૨૮, વાદળવાયુ અને તા.૩૦ ડિસેમ્બર ૨૦૨૩થી જાન્યુઆરીની શરૂઆતમાં અરબ સાગરમાં હવાનું હળવું દબાણ ઉભું થવાની શક્યતાઓ રહેશે. આ અરસામાં બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરનો ભેજ પશ્ચિમી વિક્ષેપ સાથે ભળી જતા કરા સાથે કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ રહેશે.

👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇


વરસાદની આગાહી,

વરસાદની આગાહી ગુજરાતમાં,

વરસાદની આગાહી લાઈવ,

વરસાદની આગાહી ના સમાચાર,

વરસાદની આગાહી કેટલા દિવસની છે,

વરસાદની આગાહી લાઈવ 2023,

વરસાદની આગાહી ગુજરાત,

વરસાદની આગાહી કઈ તારીખે છે,

વરસાદની આગાહી ગુજરાતમાં 2023,

વરસાદની આગાહી હવામાન,

હવામાન નકશા,

હવામાન,

હવામાન આગાહી વરસાદની 2023,

હવામાનની આગાહી,

હવામાન વિભાગ,

હવામાન આગાહી આજની,

હવામાન અમદાવાદ,

હવામાન રાજકોટ ગુજરાત,

હવામાન ભાવનગર ગુજરાત,


હવામાન સુરત ગુજરાત,

મંગળવાર, 26 ડિસેમ્બર, 2023

ગુજરાત માં આવનારા દિવસોમાં ભારે થી અતિ ભારે કોલ્ડ વેવ ની આગાહી

 આજ ના આ વીડિયો માં તમારું સ્વાગત છે, આજ ના આ વીડિયો માં હવામાન સબંધિત માહિતી તમને આપીશું, ગુજરાત માં ડિસેમ્બર મહિનો પૂરો થવા માં થોડા દિવસ જ બાકી છે છતાં જોઈએ એવી હજી ઠંડી ની અસર દેખાતી નથી,અને આવનારા દિવસોમાં રાજ્યમાં શિત આવવાની શક્યતા છે,

   ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર માસના અંતિમ દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ૧૮ શહેરોમાં ઠંડીનો પારો ૧૭ ડિગ્રીથી નીચે નોંધાયો છે. સૌથી વધુ ઠંડી નલિયામાં ૧૧.૪ ડિગ્રી નોંધાઈ છે. અમદાવાદમાં ૧૬.૩ અને ગાંધીનગરમાં ૧૫.૪ ડિગ્રી ઠંડીમાં લોકો ધ્રૂજી ઊઠયા હતા. હવામાન ખાતાએ આગામી ૭ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. મતલબ ઠંડીનું સામ્રાજ્ય જળવાઈ રહેશે.



આજે પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પૂર્વની રહી હતી. જમીની સ્તરેથી ફૂંકાતા પવને ઠંડીની કાતિલતામાં વધારો કર્યો હતો. રાજ્યમાં વાતાવરણ સુકું રહ્યું હતું. ભેજનું પ્રમાણ સવારે ૮-૩૦ કલાકે ૬૭ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે પર ટકા રહ્યું હતું. અમદાવાદમાં ૧૬.૩ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જો કે મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી જ નોંધાતા લોકોએ વધુ ઠંડીનો અનુભવ કર્યો હતો. પાટનગર ગાંધીનગરમાં પણ લોકો ૧૫.૪ ડિગ્રી ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યા હતા. અમદાવાદમાં આવતીકાલે પણ ૧૬ ડિગ્રી આસપાસ ઠંડીનું પ્રમાણ જળવાઈ રહેશે. લોકો આજે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા.



સ્ટૉક એક્સ્ચેન્જીસ એટલે શું?,Stock Exchanges)સ્ટૉક એક્સ્ચેન્જ.ભારતમાં સ્ટૉક એક્સ્ચેન્જનો ઇતિહાસ,

 (Stock Exchanges)સ્ટૉક એક્સ્ચેન્જ :


ભારતમાં સ્ટૉક એક્સ્ચેન્જનો ઇતિહાસ :

૧૯મી સદીમાં ભારતમાં મુંબઈ અને અમદાવાદ મુકામે અનુક્રમે ૧૮૭૫ અને ૧૮૯૪માં સ્થપાયાં હતાં. આ સ્ટૉક એક્સ્ચેન્જીસ સંયોજિત (organized) અને સ્વૈચ્છિક ધોરણે નફાના હેતુ વગર દલાલો દ્વારા સ્થપાયેલ એસોસિએશન હતાં. તેનો મુખ્ય ઉદ્દેશ સભ્યોનાં હિતોને રક્ષણ આપવાનો અને નિયંત્રિત કરવાનો હતો. આઝાદી પહેલાં બામ્બે સિક્યુરિટી કાન્ટ્રાક્ટસ (કન્ટ્રોલ) ઍક્ટ - ૧૯૨૫ જામીનગીરીઓના વેપાર નિયંત્રિત કરવાના હેતુ માટે ઉપયોગમાં લેવાતો હતો. આ કાયદાના આધારે બોમ્બે સ્ટૉક એક્સ્ચેન્જ અને અમદાવાદ સ્ટૉક એક્સ્ચેન્જ અનુક્રમે ૧૯૨૭ અને ૧૯૩૭માં માન્યતા પ્રાપ્ત થઈ. ત્યારબાદ સ્ટૉક એક્સ્ચેન્જની કામગીરીના નિયમો અને માન્યતાઓ અંગે સત્તા કેન્દ્ર સરકાર હસ્તગત થઈ હતી. A.D. Gorwala સમિતિની ભલામણોના આધારે અને પ્રજા સાથે ચર્ચા વિચારણા પછી સિક્યુરિટીઝ કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ કાયદાનું સ્વરૂપ ધોરણ કર્યું. - ૧૯૫૬ એ કાયદા નું સ્વરૂપ ધારણ કર્યું.


સ્ટૉક એક્સ્ચેન્જીસ એટલે શું?

Stock Exchange menas any association or body of individual whether incorporated or not. Constituted for the purpose of assisting, regulating or controlling the business buying, selling or dealing in securities.

ભારતમાં સ્ટૉક એક્સ્ચેન્જીસની કામગીરી માટે ધી સિક્યુરિટી કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ - ૧૯૫૬ અસ્તિત્વમાં છે. આ કાયદાના મુખ્ય હેતુઓ:

(i) રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવાનો છે.

(ii) સટ્ટાકીય પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવાનો છે.

(iii) તંદુરસ્ત અને મજબૂત રોકાણ બજારનું નિર્માણ કરવાનો છે.

આ કાયદાની કલમ ૩ પ્રમાણે સ્ટૉક એક્સ્ચેન્જને કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા આપવામાં આવે છે. આ કાયદા હેઠળની કેન્દ્ર સરકારની સત્તાઓની નીચે પ્રમાણે ટૂંકમાં વિગતો આપવામાં આવે છે.

• કેન્દ્ર સરકારની સત્તાઓ :

(૧) સ્ટૉક એક્સ્ચેન્જને માન્યતા આપવાનો અને રદ કરવાનો અધિકાર.

(૨) સ્ટૉક એક્સ્ચેન્જના પેટા કાયદાઓને (By Laws) માન્યતા અથવા સુધારાઓ કરવા અંગેના અધિકાર

(૩) સ્ટૉક એક્સ્ચેન્જીસ પાસેથી સમયાંતરે રિટર્નસ મંગાવી શકે છે.

(૪) સ્ટૉક એક્સ્ચેન્જના કોઈપણ સભ્ય કે સ્ટૉક એક્સ્ચેન્જ અંગે તપાસનો આદેશ આપી શકે છે.

(૫) સ્ટૉક એક્સ્ચેન્જ દ્વારા વાર્ષિક અહેવાલ સુપરત કરવાની જવાબદારી છે.

(૬) ચોક્કસ પ્રકારના નિયમો બનાવવા માટે દોરવણી અથવા આદેશ આપી શકે છે.
(૭) એક્સ્ચેન્જના ગવર્નિંગ બોર્ડના સ્થાને અન્ય કોઈની નિમણૂક કરી શકે છે.

(૮) વેપાર માટે અન્ય કોઈપણ પ્રકારની શરતો અને નિયંત્રણો મૂકી શકે છે.

• પેટા કાયદાઓ

સિક્યુરિટી કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) રૂલ્સ ૧૯૫૭ ના કારણે પ્રમાણિત નિયમો ઉપલબ્ધ થયા છે. આ નિયમો બધા સ્ટૉક એક્સ્ચેન્જીસને સમાન ધોરણે લાગુ પડે છે. ઉપરાંત બધા સ્ટૉક એક્સ્ચેન્જના પેટા નિયમો / પેટા કાયદાઓ બનાવવામાં આવે છે. જેમાં સ્ટૉક એચેન્જ ખૂલવાનો અને બંધ થવાનો સમય, વહીવટીતંત્ર, વેપારનો સમય, અન્ય બાબતો, ગાળો (Margin) નક્કી કરવો. બજાર કિંમત નક્કી કરવી, દલાલોને લગતી બાબતો ઝઘડાઓનું સેટલમેન્ટ અને લવાદો, વેપારનું ક્લિયરિંગ અને સેટલમેન્ટ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.

• ભારતના સ્ટૉક એક્સ્ચેન્જીસ :

ભારતમાં કુલ ૨૩ સ્ટૉક એક્સ્ચેન્જીસ આવેલ હતા. તેમાંથી બેગલોર સ્ટૉક એક્સ્ચેન્જની પુન:માન્યતાની અરજી ધી સિક્યુરિટીઝ કૉન્ટ્રાક્ટ (રેગ્યુલેશન) ઍક્ટ - ૧૯૫૬ કલમ ૪ (૪) ના આધારે તારીખ : ૩૧.૦૮.૨૦૦૪ના ઓર્ડર પ્રમાણે નામંજૂર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૦૭- ૦૮ સોરાષ્ટ્ર કચ્છ સ્ટૉક એક્સ્ચેન્જ લિમિટેડ, મગધ સ્ટૉક એક્સ્ચેન્જ લિ. અને હૈદ્રાબાદ સ્ટૉક એક્સ્ચેન્જ લિ.ની માન્યતા રદ કરવામાં આવેલ છે.

ભારતના સ્ટૉક એક્સ્ચેન્જીસ વ્યવસ્થાતંત્રની દ્રષ્ટિએ જુદાં-જુદાં સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ બધાને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો સરખા ધોરણે લાગુ પડે છે. તેમનું વ્યવસ્થાતંત્ર નીચે જણાવેલ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવતું હતું.

(१) બિનનફા ઉદ્દેશ્ય એસ એસોસિયેશન (Non Profit Making Association)

(૨) શૅર દ્વારા મર્યાદિત જોઇન્ટ સ્ટૉક કંપની લિમિટેડ (Joint Stock Companies Limited by Shares)

(૩) બાંયધરી આધારિત કંપની લિમિટેડ (Companies Limited by Guarantees)

હવે બધાં સ્ટૉક એક્સ્ચેન્જીસ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે.

ભારતનાં સ્ટૉક એક્સ્ચેન્જીસની સ્થિતિ :-

(૧) સ્ટૉક એક્સ્ચેન્જીસની માન્યતા:-

SEBI દ્વારા સિક્યુરીટી કોન્ટ્રક્સ (રેગ્યુલેશન) Act (SCRA), ૧૯૫૬ ની કલમ ૪ હેઠળ સ્ટૉક એક્સ્ચેન્જીસને તેમની કામગીરી માટે માન્યતા આપવામાં આવે છે. તા.૩૧-૩-૨૦૧૮નાં રોજ ભારતમાં ચાર સ્ટૉક એક્સ્ચેન્જીસી કાયમી માન્યતા ધરાવતા હતા. સેબીનાં વાર્ષિક અહેવાલ ૨૦૧૭-૧૮ પ્રમાણે SEBI દ્વારા NSE IFSC Limited ને તા.૨૯-૫-૨૦૧૭ થી ૨૮-૫- ૨૦૧૮ સુધીની એક વર્ષ માટેની માન્યતા આપવામાં આવી હતી. ધી મેટ્રોપોલિટન સ્ટૉક એક્સ્ચેન્જ ઑફ ઈન્ડિયાને પણ સપ્ટેમ્બર ૨૦૧૭ થી સપ્ટેમ્બર ૨૦૧૮ સુધી માન્યતા આપવામાં આવી હતી.

કાયમી માન્યતા ધરાવતાં ચાર સ્ટૉક એક્સ્ચેન્જીસ માંથી અમદાવાદ સ્ટૉક એક્સ્ચેન્જ અને કલકત્તા ઑફ એક્સ્ચેન્જ જામીનગીરી વેપારની કામગીરીમાંથી નિકાસ (Exit)ની પ્રક્રીયામાં છે. SEBI નાં ૨૦૧૨નાં માન્યતા રદ/બિનકામગીરી અંગેના અનુસંધાને અત્યાર સુધીમા કુલ ૧૮  સ્ટોક એક્સ્ચેન્જીસ દ્વારા જામીનગીરીની વેપારની કામગીરી માંથી નિકાસ પ્રાપ્ત કરેલ છે. (એટલે જામીનગીરી વેપારની કામગીરી બંધ કરેલ છે.) આમાંથી ૧૨ સ્ટૉક એક્સ્ચેન્જીસ દ્વારા ૨૦૧૨. ૧૩, ૨૦૧૩-૧૪ અને ૨૦૧૪-૧૫ દરમિયાન કામગીરી બંધ કરવામાં આવી છે. અન્ય પાચ સ્ટૉક એક્સ્ચેન્જીસ ૨૦૧૫-૧૬ અને એક સ્ટૉક એક્સ્ચેન્જ દ્વારા ૨૦૧૬-૧૭માં આ કામગીરી બંધ કરેલ છે.

સોમવાર, 25 ડિસેમ્બર, 2023

વિચાર વિસ્તાર ગુજરાતી સુવિચાર અર્થ સાથે,જીવન માટે શું સારું છે અને તેની સમજણ અને સમજણ માત્ર ધ્યાનથી જ વિકાસ પામે છે,

જીવન માટે શું સારું છે અને તેની સમજણ  અને સમજણ માત્ર ધ્યાનથી જ વિકાસ પામે છે,



ઋષિ-મુનિ-સમાધિમાં રહી રહી છે, તપ સ્વરૂપ લેખક, પરમાત્મા, ધ્યાન વિશે અલ્ય ધ્યાન તરીકે અનુરૂપ દૂરની મામૂલી તેને ભેટ આપે છે. કમભાગ્યે આપણે હઠવાશથી ઝૂમી દૂરવર્તી છીએ. પિનાના દેશનોફોરવાદ તેથી રૂપ લાગે છે તેની જીવનશલી રાજીદંડ મારવા જાય છે. સારા-નરસાના થોડા પણ અભ્યાસ વિના નવી પાણીને વધુ તેની ગુડ બની રહી છે. આપણે તેને અટકાવવામાં અસફળ બની રહ્યા છીએ, કારણ કે, આપણે તામસિક અને રાજસિકોરે વધુ રંગાઈ ગયા છીએ. સાત્ત્વિકતાની વાતને જુનવાણી અને બિજરૂરી ગણવાયા છીએ તેથી સગવડ વર્ણન આભાસી સુખી અવશ્ય રહીએ છીએ, પરંતુ શાંતિપૂર્ણ જીવનથી દૂર રહીએ છીએ.


3 તારો સમાજ કેટલાક અભ્યાસમાં આપણો દેશ અને દરેક ગુજરાતી અગ્રેસર ગણવા પોલીસ છે. નવી પાણી ડાયાબિટીસ, બી.પી. તેમજ ડિપ્રેશનનો વધુ ને વધુ વ્યક્તિ બની રહી છે. બાબા રામદેવે યોગાસનો વૃક્ષાષ્ટ માટે જગાડ્યા 'પહેલાં સુખી માણસને કહે છે કે જીવંત કેટલ અંધારું છે, પરંતુ તેને આપતું રહે છે અને ખૂબ જ સુંદર પાયાવીનેગળાં તેકાત્મક, તેમની રચના અને જગરુકતા કેળવે તે ભાવિકાર હિચ્છુઓ, કારણ કે તે સમયનો દર્દભર્યો પોપ.


'મેરા દેશ મહાન' નાથાના બાળકો, અને તેમના પિતાને એમ સુખે છે, તેના પ્રાણરૂપ વેદો, એનિદો અને પુરાણ દેશ જુનવાણી લાગે છે. તેના માટે રૂચિ કે ગુણ નથી. પ્રેમમાં આ રસ જગે તેમના હિ‌તમાં તેને ઢબેબુક આપવામાં આવે છે તો જીવલેણ ગણી શકાય છે તેમની જીવનશૈલીમાં પણ અવકાશ: પશ્યાવશ્યના રહેશે.


બધા જ ઋચા વંદને ખૂબ જ મદદરૂપ થાય છે. તેથી યુતિપેશ્યને ચાર રસ અવજાગે. દા.ત. ઋગ્વેદ ૭/૬૬/૯ છે કે 'સંપૂર્ણ લોકો તેને સારા અને ખરાબ વ્યક્તિઓનું કૃત્રિમકરણ કર્યા પછી જે સારું હોય તે જ ગ્રહણ નાથ. શોખીન અને કલેશથી આનંદ મેળવનાર વ્યક્તિ માટે અહીં કલેશો અને પ્રકાશની વાત થાય છે, પરંતુ આવી રચનાના અર્થમાં ગ્રાહક કેળવાય તે માત્ર ધ્યાન જરૂપ બની શકે છે. જીવન માટે શું સૂચન કરવું અને તેની સમજણ અને ધ્યાન કરવું.




મનને માત્ર ધ્યાનથી જ કેળવી શકાય છે. મન વિચારે છે કે તેના સમર્થનને સ્વીકારો અને એક વિષયમાંથી બીજા બીજા એમ દોતું રહે છે. વિચારો આ આધાર લેનાર વ્યક્તિ આવે છે તો નિર્વિચાર મન અર્ધજાગ્રમાં વિશ્રામ ખાતરી કરે છે. આત્માસ્થું આ મન પરમાત્મા સાથે જોડાય છે આનંદ, શાંતિ તેમજ પ્રેમનો અને લાવે છે. આ ત્રિવેણીસંગમમાં કામ, ક્રોધ, મદ, લોભ અને મત્સરેણ નવપલ્લવિત કરી સુખ, શાંતિ અને સ્વર્ગ ઊભું કરવાની પ્રબળને. વેદો, સ્વનિષદો અને પુરાણ શિક્ષણ અહીંથી જ માત્ર અભ્યાસે છે. સંત કબીરે તેમની એક સાખીમાં કહ્યું કે 'નિયન આગે મન બસે, પલક પલક કરે છે; તીન લોક મન ભૂપ હૈદરાબાદ, મન પુજા સબમિટ કરો 'જાગ્રત મન પ્રતિક્ષણ વિચારની ભીડમાં રહે છે. ટર્થી. પાણીથી સુધીના સ્કુલ સામા જય પ્રસરેલું છે. તેની શક્તિ

અપરંપાર છે, પરંતુ તેની આ શક્તિનો સક્રિય વ્યક્તિ રહે છે. તેને નિર્ધારિત અવસ્થાના ગઢવી પૂરી પૂરી તો આનંદ થાય, પ્રેમ અને શાંતિનું સામ્રાજ્ય પળવારમાં ઊભું કરી શકે. આસ્થામાં આત્મારસ્વરૂપ ધારણ કરી સર્વમાન પરમાત્મા જોડાઈ અને અપંપાર અણસાર અવવાણી બની શક્તિ મહાસાગર ઊ સળા વાંસમાજ સમવિષ્ટ જીવસૃષ્ટના કલ્યાણ રોપી શકે.


અપરંપાર શક્તિ જાગ્રત મનને અર્ધાગ્રત અવસ્થામાં લખે છે અગા શક્તિઓ જમા થાય છે, જે અચંબો પમાડેંઓ દોહી શકે છે. બુલેટની ઝડપે દોતી ઊઓ, દોની ગતિ એટ વિમાનો કે ચંદ્ર પર પ્રક્ષે કરી શકતું નથી.


ભગવાન ઈશુએ કહ્યું કે 'તમે આપો, તે તમને પાછું, તમારા માપ પ્રમાણે તમે પાછું મેળવ્યું છે' ઋષિમુનિઓ સુધી તપ કરતાં અને અચંબો પમાડે યોગિકો પ્રાપ્ત કરતા હતા. જે શક્તિ તેઓને અર્થે ઉપયોગ કરતા હતા. અષ્ટ સિદ્ધિ નવનિધિની મહામૂલી ભેટ પણ ધ્યાન-સમાધિ તપથી જ પ્રાપ્ય બની શકે છે.

🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎

વિચાર વિસ્તાર ગુજરાતી સુવિચાર અર્થ સાથે,

સાબરકાંઠા જોવા લાયક દર્શાવવા,

નાગરિક ના જોવા લાયક નામ,

અરવલી જોવા લાયક બતાવવા.

સુવિચાર અને નાગરિક વિચાર વિસ્તાર.

કૃપા કરીને જોવા લાયક વર્ણન.

સુવિચાર ગુજરાતી 2023 માં.

દરિયા ના જોવા લાયક વર્ણન.

સુવિચાર અને અર્થ.

સાંકળના જોવા લાયક વર્ણન pdf.

શનિવાર, 23 ડિસેમ્બર, 2023

ગુજરાત માં વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છ માં આજે માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી કરાઈ છે.

 ગુજરાત માં  વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છ માં આજે માવઠાના વધુ એક રાઉન્ડની આગાહી કરાઈ છે.

ગુજરાત માં ઠંડીના ચમકારા વચ્ચે હવે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સને પગલે આવતી કાલે સૌરાષ્ટ્ર- કચ્છમાં હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.


   હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલે કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાંથી જામનગરમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવો વરસાદ પડી શકે છે. જોકે, આ પછી રાજ્યમાં ચાર દિવસ વરસાદની સંભાવના નથી. ગત રાત્રિએ નલિયામાં ૧૨.૬ ડિગ્રી સાથે સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી. અમદાવાદમાં ૧૬.૬ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાન માં સામાન્ય કરતાં ચાર ડિગ્રીનો વધારો થયોહતો. 

     આગામી ૩ દિવસ અમદાવાદમાં ૧૬ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગની આગાહી છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ૨૮થી ૩૧ ડિસેમ્બર દરમિયાન લઘુતમ તાપમાન ૧૩ ડિગ્રી સુધી ગગડતાં કડકડતી ઠંડી અનુભવાશે. ગત રાત્રિએ અન્યત્ર જ્યાં ૧૫ ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું તેમાં ડીસા, ગાંધીનગરનો પણ સમાવેશ થાય છે.

વધુ માહિતિ માટે અમારો વિડિયો જોઈ શકો છો,








શુક્રવાર, 22 ડિસેમ્બર, 2023

ડિસેમ્બર મહિનો ipo માટે શ્રેષ્ઠ સાબિત થયો?

    તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૩માં ૧૧ કંપનીઓએ તેમના પ્રારંભિક જાહેર ભરણાં (આઈપીઓ) રજુ કર્યા હતા. જેના થકી આ કંપનીઓ રૂ. ૮,૧૮૨.૭ કરોડ એકત્ર કરશે. ડિસેમ્બર ૨૦૨૧માં ૧૧ કંપનીઓએ ૯,૫૩૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આમ ડિસેમ્બર ૨૦૨૩, IPO માટે પછીનું બીજો શ્રેષ્ઠ મહિનો પુરવાર થયો છે.


    IPO પ્રવૃત્તિમાં વધારો થવાથી સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા ડિસેમ્બર મહિનામાં અનુભવાયેલ ખરાબ નસીબને પણ ઉલટાવી દીધું. ડિસેમ્બર ૨૦૦૮, ૨૦૧૩ અને ૨૦૧૮માં કોઈ IPO નહોતા, જ્યારે ૨૦૦૩માં બે IPO રજુ કરવામાં આવ્યા હતા.

    રાજ્યની ચૂંટણીઓ અને ફેડરલ રિઝર્વના નાણાકીય નીતિના નિર્ણયો અંગે અનિશ્ચિતતા વચ્ચે ડિસેમ્બરના પ્રથમ ભાગમાં કોઈ આઈપીઓ આવ્યા ન હતા. જો કે, યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડો અને આવતા વર્ષની શરૂઆતમાં પ્રથમ કટના સંકેત આપતા સમાચારોથી રોકાણકારોને પ્રોત્સાહન મળ્યું હતું. ફેડરલે સંકેત આપ્યો હતો કે આવતા વર્ષે વ્યાજ દરોમાં ૭૫ બેસિસ  પોઈન્ટ્સનો ઘટાડો કરવામાં આવશે, જે બજારની અપેક્ષા કરતાં વધુ છે.

  પાંચમાંથી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની જીતથી રાજકીય માહોલ સાનુકૂળ બન્યો છે અને આગામી વર્ષની સામાન્ય ચૂંટણીઓ પછી નીતિ અને સરકારનું સાતત્ય જળવાઈ રહેશે તેવી આશા ઊભી થઈ છે. આ મહિને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા રોકાણમાં વધારો થયો છે. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ડિસેમ્બરમાં રૂ. ૫૯,૬૧૭ કરોડની ઇક્વિટીના ચોખ્ખા ખરીદદારો હતા.


    ડિસેમ્બર ૨૦૨૩માં સેન્સેક્સ અત્યાર સુધીમાં ૫.૩ ટકા વધ્યો છે, જે ડિસેમ્બર ૨૦૨૦ પછી વર્ષનો બીજો શ્રેષ્ઠ છેલ્લો મહિનો છે. પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકારો અને પ્રમોટર્સ આ મહિનાના કેટલાક આઈપીઓમાં તેમનો હિસ્સો વેચ્યો છે. દરમિયાન, ઘણી પીઈ કંપનીઓ તેમનો હિસ્સો વેચતી જોવા મળી હતી.

   આગામી મહિને પણ આઈપીઓ રજુ થવાની પ્રક્રિયા જારી રહેશે અને લગભગ એક ડઝન જેટલી કંપનીઓ બજારમાં પ્રવેશવા તૈયાર છે.


Nifty 50,

Nifty 50 chart,

Nifty 50 share price,

Nifty 50 chart live,

Nifty 50 today,

Nifty 50 live,

Nifty 50 News for Tomorrow,

Nifty 50 prediction today,

આજના શેર બજાર ભાવ,

કયા શેર ખરીદવા,

Share market live chart today,

Today, market live,

Tomorrow share market up or down,

Reason for market,

today Moneycontrol,







સોમવાર, 18 ડિસેમ્બર, 2023

તમિલનાડુ માં ભારે વરસાદ થયો, સાત દિવસ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા

તમિલનાડુ માં ભારે વરસાદ થયો, સાત દિવસ ભા ઉરે થી અતિ ભારે વરસાદ ની શક્યતા.


 તા. ૧૭ તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં રવિવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત તુતીકોરીન અને તેનકાસિન જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે સામાન્ય જનજીવને અસર થઇ છે. હવામાન વિભાગે તમિલનાડુના પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારો અને મન્નારના એખાતમાં ચક્રવાત હવાઓની ચેતવણી આપી છે.
     ભારતીય હવામાન વિભાગના આગાહી મુજબ ૧૮ ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકડી, રામનાથપુરમ, પૃદુકોટ્ટઈ અને તંજાવર જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

૧૯ ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થુથુકડી અને રામનાથપુરમ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે તમિલનાડુમાં કુલ સાત દિવસ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે.

આ દરમિયાન મુખ્યપ્રધાન એમ કે સ્ટાલીને થામિરબારાણી નદીમાં આવેલા પૂરના સંબંધમાં આ નદીમાંથી વધારાનું પાણી કન્નડિયન ચેનલમાં છોડવાના નિર્દેશ આપ્યા છે. તેમણે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રાહત કામગીરી કરવા માટે પ્રધાનોને નિર્દેશ આપ્યા છે.રાહત કામગીરી માટે ચાર વરિષ્ઠ આઈએએસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.  

બીજી તરફ હિમાચલ પ્રદેશમાં તીવ્ર ઠંડી પડી રહી છે. રાજ્યના  અનેક વિસ્તારોમા તાપમાન શૂન્યથી નીચે નોંધવામાં આવ્યું છે. કુલકુમસેરીમાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું છે.
પંજાબ અને હરિયાણામાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. પંજાબના અમૃતસરમાં લઘુતમ તાપમાન ૫.૬ ડિગ્રી સેલ્સિયસ
નોંધવામાં આવ્યું હતું જ્યારે હરિયાણાના હિસારમાં લઘુતમ તાપમાન ૬.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૯.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જો કે દિલ્હીમાં પ્રદૂષણ હજુ પણ ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે. આજે બપોરે ૪ વાગ્યે એક્યુઆઇ ૩૩૧ નોંધવામાં આવ્યું હતું.

ઓડિશામાં પણ ઠંડી વધી રહી છે. ઓડિશામાં સૌથી ઓછું તાપમાન કંધમાલ જિલ્લાના ફુલબનીમાં નોંધવામાં આવ્યું છે. ત્યાં આજે લઘુતમ તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.



શનિવાર, 16 ડિસેમ્બર, 2023

nature images.nature images. nature images hd. beautiful nature images real. nature drawing. nature quotes. nature wallpaper. flower images. beautiful nature images. birds images. nature images for dp. nature images hd download. nature images drawing. nature imageshd.com. nature quotes.












nature images.
nature images hd.
beautiful nature images real.
nature drawing.
nature quotes.
nature wallpaper.
flower images.
beautiful nature images.
birds images.
nature images for dp.
nature images hd download.
nature images drawing.
nature imageshd.com.
nature quotes.
 nature wallpaper.
 flower images.
 beautiful nature images.
 birds images.
 nature images for dp.
 nature images hd download.
 nature images drawing..
 nature imageshd.com.
 nature images real.
 nature images wallpapers.
 nature images for instagram highlights.
 nature images with girl.

 

ગુરુવાર, 14 ડિસેમ્બર, 2023

#આજનું હવામાન, #ગુજરાત હવામાન, #હવામાન લાઈવ, #હવામાન નકશા, #હવામાન લાઈવ gujarat, #હવામાન લાઈવ map

આજે આપડે આ વીડિયો ભારત માં ક્યાં ઠંડી થી ઠુઠવાયા. ક્યાં વરસાદ ની આગાહી, અને આવનારા દિવસોમાં કેવું રહેશે હવામાન. અને ગુજરાત પર તેની શું અસર દેખાશે.



 ઉત્તર ભારતમાં ઠંડીનો સિતમ શરૂ થઈ ગયો છે. બુધવારે પાટનગર દિલ્હીનું તાપમાન આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. દિલ્હી-એનસીઆરમાં શીતલહેરની સાથોસાથ ગાઢ ધુમ્મસે પણ મુસીબતમાં વધારો કર્યો છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં બુધવારે લઘુતમ સાત ડિગ્રી અને મહત્તમ ૨૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અરુણાચલપ્રદેશ, મેઘાલય અને આસામમાં ઘણા જિલ્લાઓમાં વરસાદનં અનુમાન હતું. પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે કડકડતી ઠંડી સાથે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. અન્ય રાજ્યોની વાત કરીએ તો યુપીના લખનઉમાં ૧૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું. જયારે બિહારના પટણામાં પણ ૧૧ ડિગ્રી નોંધાયું હતું.

આ બધાની વચ્ચે શ્રીનગરમાં મંગળવારની રાત આ સિઝનની સૌથી ઠંડી રાત નોંધાઈ હતી. શ્રીનગરમાં મંગળવારની રાત્રે શૂન્યથી ૫.૩ ડિગ્રી સેલ્સિયસ નીચું તાપમાન નોંધાયું હતું. દક્ષિણ કાશ્મીરના પહેલગામમાં લઘુતમ તાપમાન માઇનસ ૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દરમિયાન ગુલમર્ગના રિસોર્ટ ટાઉનમાં બુધવારે તાપમાન માઇનસ ૩.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે કાજીગુંડમાં તાપમાન માઇનસ ૨.૬ ડિગ્રી તથા કોકેરનાગ તથા કુપવાડામાં તાપમાન માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ ક્ષેત્રમાં ચિલ્લા એ કલાંની શરૂઆતના કેટલાક દિવસ અગાઉ ૧૬ ડિસેમ્બર સુધી વાતાવરણ કોરું રહેવાની સંભાવના છે. જો કે વાદળો છવાયેલા રહેશે. ૪૦ દિવસની સૌથી ઠંડી સિઝન દરમિયાન કાશ્મીર ખીણનું તાપમાન પોતાના સૌથી નીચા સ્તર સુધી ગગડી જાય છે.

ગુજરાત ની વાત કરીએ તો આવનારા દિવસોમાં તાપમાન થોડું ઉશકાશે.અને આવનારા દિવસોમાં ઠંડી થી ગુજરાત દ્રૂજી જાશે. વિડિયો કેવો લાગ્યો કૉમેન્ટ જરૂર કરજો.

Nifty 50 News for Tomorrow, Nifty 50 prediction today, આજના શેર બજાર ભાવ, કયા શેર ખરીદવા, Share market live chart today, Today, market live,

        શેરબજારમાં બુધવારે આખરી કામકાજી સમયગાળામાં તેજીવાળાઓ પરત ફરતાં બેન્ચમાસ તેમના ઇન્ટ્રા-ડે લો પરથી પરત ફયાં હતાં અને પોઝિટિવ ઝોનમાં બંધ દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ ૩૩.૫૭ પોઈ ન્ટ્સ સુધરી ૯૯,૫૮૫ની સપાટીએ યારે નિફ્ટી ૨૦ પોઇન્ટ્સના સુધારે ૨૦,૯૨૬ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બોડ માર્કેટમાં પણ મજબૂતી જળવાય હતી. જેને કારણે બેડૂથ પોઝિટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ ૩,૮૯૦ ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી ૨,૧૭૯ કાઉન્ટર્સ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે ૧,૫૯૭ કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. ૩૪૨ કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જયારે ૧૫ કાઉન્ટર્સ તેમના પ૨-સપ્તાહનું તળિયું દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ ૫ ટકા ગગડી ૧૨.૦૬ના સ્તરે બંધ રહ્યો હતો.




       બુધવારે એશિયન બજારોમાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પોઝિટિવ ઓપનિંગ દર્શાવ્યું હતું. .જોકે, ત્યારપછી તે નેગેટિવ ઝોનમાં સરી પડયું હતું. મધ્યાંતરે રે તે બોટમ બનાવી પરત ફયું હતું ? અને આખરી કલાકમાં પોઝિટિવ ઝોનમાં જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે ૨૦,૭૭૦ના તળિયેથી ઊછળી ૨૦,૯૫૦ને સ્પર્શી ૨૦,૯૦૦ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર ૧૦૯ પોઇન્ટ્સ પ્રીમિયમ સાથે ૨૧,૬૩૫ પર બંધ રહ્યો હતો. અગાઉના સત્રમાં તે ૧૦૪ પોઇન્ટ્સનું પ્રીમિયમ દર્શાવતો હતો. 

   આમ, લોંગ પોઝિશનમાં સાધારણ વૃદ્ધિના સંકેતો છે. બીજી બાજુ, વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો પણ આગામી સત્રમાં પોઝિટિવ ટોન જળવાય રહે તેવી શક્યતા સૂચવે છે. ટ્રેડર્સે ૨૦,૭૦૦ના ચુસ્ત સ્ટોપલોસ સાથે લોંગ પોઝિશન જાળવવી જોઈએ. જો નિફ્ટી ૨૧,૦૦૦ની સપાટી પાર કરશે તો ૨૧,૩૦૦-૨૧,૪૦૦ સુધીનો ઉછાળો સંભવ છે. નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટક કાઉન્ટર્સમાં એનટીપીસી, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી પોર્ટ્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, લાર્સન, સિપ્લા, સન ફાર્મા, એસબીઆઈ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, તાતા સ્ટીલ, બજાજ ઓટો, તાતા કન્ઝયુમર, ટાઈટન કંપની, તાતા મોટર્સ, ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ ટીસીએસ, ઈન્ફોસિસ, એકિસસ બેંક, બજાજ ફિનસર્વ, એચડીએફસી લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઓએનજીસી, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સમાં નરમાઈ જોવા મળી હતી.

સેક્ટરલ પરફોર્મન્સની વાત કરીએ તો જાહેર સાહસોમાં આગ ઝરતી તેજી જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ, રિઅલ્ટી, મેટલ, એનર્જી, ફાર્મા, ઓટો લગભગ તેમની નવી ટોચે બંધ રહ્યાં હતાં. જયારે આઈટી, બેન્કિંગમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ ૨.૫ ટકા ઊછળી પ્રથમવાર ૭,૫૦૦ની સપાટી પાર કરી ગયો હતો. તેના ઘટકોમાં આરઈસી, પીએફસી, એચપીસીએલ, એનએમડીસી, એનટીપીસી, એનએચપીસી, સેઈલ, પાવર ગ્રીડ કોર્પો., નાલ્કો, આઈઓસી, ગેઈલ, ભારત ઈલે., હિંદુસ્તાન એરોનોટિક્સ, ભેલ, કોન્કોરમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ ૧.૬ ટકા ઊછળ્યો હતો. જેના  ઘટકોમાં પ્રેસ્ટિજ એસ્ટેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, બિગેડ એન્ટરપ્રાઈઝ અને ઓબેરોય રિઅલ્ટીઝમાં લેવાલી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા એક ટકાથી વધુ ઊછળ્યો હતો. જેને બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, આલ્કેમ લેબ, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, લ્યૂપિન તરફથી સપોર્ટ સાંપડયો હતો. નિફ્ટી મેટલ ૦.૯ ટકા મજબૂતી સાથે સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, સેઈલ, વેદાંત, નાલ્કો, હિંદાલ્કો, તાતા સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો એક ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીવીએસ મોટર, હીરો મોટોકોર્પ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, અશોક લેલેન્ડ, બજાજ ઓટો, બોશ, તાતા મોટર્સ, ભારત ફોર્જ, મધરસન સુમીમાં - નોંધપાત્ર ખરીદી નીકળી હતી. નિફ્ટી એફએમસીજી ૦.૭૦ ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના થટકોમાં કોલગેટ, યુનાઇટેડ 5 સ્પિરિટ્સ, ઈમામી, ગોદરેજ કન્ઝ્યુમર, વરુણ બેવરેજિસ, પીએન્ડજી, 1 તાતા કન્સૂયમર, આઈટીસી, નેસ્લે, એચયુએલમાં મજબૂતી જોવા મળી - હતી. બીજી બાજુ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૧.૩ ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, 1 એલટીઆઈ માઈન્ડટ્રી, એલએન્ડટી ટેકનોલોજીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ પ્લેટફોર્મ પર નજર નાખીએ તો આરઈસી ૮ ટકા સાથે ઊછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, પાવર ફાઇનાન્સ, જીએમઆર એરપોર્ટ્સ, એચપીસીએલ, એનએમડીસી, બાયોકોન, . ટીવીએસ મોટર, એનટીપીસી, સેઈલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, હીરો - મોટોકોર્પ, પિરામલ એન્ટરપ્રાઈઝ, ઓરોબિંદો ફાર્મા, પાવર ગ્રીડ, 1 કોલગેટ, તાતા પાવર, ઈન્ડિયા સિમેન્ટ્સ, યુનાઇટેડ સ્પિરિટ્સમાં નોંધપાત્ર 1 મજબૂતી જોવા મળી હતી.



બુધવાર, 13 ડિસેમ્બર, 2023

કાંદાની નિકાસ પર પ્રતિબંધ બાદ ખેડૂતોને રાહત પૂરી પાડવાના સરકારના પ્રયાસ. બફર સ્ટોક માટે પ્રથમ વખત ખરીફડુંગળી ખરીદાશે.

                દેશમાં બફર સ્ટોક માટે સરકાર બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી કરશે. આ ખરીદી દેશભરની મંડીઓમાંથી કરાશે એમ સરકાર વતિ જણાવાયું હતું. 


      બફર સ્ટોક ઊભો કરવા સરકાર પ્રથમ વખત ખરીફ ડુંગળી ખરીદી કરશે. ડુંગળીના ભાવમાં ઉછાળાના સમયમાં બફર સ્ટોકસમાંથી માલ છૂટો કરવામાં આવે છે ! જેથી ભાવને નીચા લાવી શકાય છે.                        

        ઘરઆંગણે કાંદાની ઉપલબ્ધતા વધારવા સરકારે ગયા સપ્તાહમાં તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જે ૩૧મી માર્ચ સુધી ચાલુ રહેશે. 

        ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે, કાંદાની નિકાસ પર પ્રતિબંધથી ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય કારણ કે સરકાર તેમની પાસેથી બે લાખ ટન ડુંગળીની ખરીદી કરનાર છે.

        વર્તમાન વર્ષમાં અત્યારસુધીમાં સરકારે ૫.૧૦ લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે અને બે લાખ ટન ખરીફ ડુંગળીની ખરીદી કરાશે. રવી ડુંગળી લાંબો સમય ટકી રહેતી હોવાથી બફર સ્ટોકસ માટે સરકાર તેની વધુ ખરીદી કરે છે.

       આ વર્ષે સરકાર પ્રથમ વખત ખરીફ કાંદા ખરીદી કરનાર છે. વર્તમાન નાણાં વર્ષમાં સરકાર ડુંગળીનો સાત લાખ ટન બફર સ્ટોકસ ઊભો કરવા ટાર્ગેટ ધરાવે છે જે ગયા વર્ષે ૩ લાખ ટન ઊભો કરાયો હતો. ૫.૧૦ લાખ ટન કાંદાની ખરીદીમાંથી સરકારે ૨.૭૩ લાખ ટન કાંદા બજારમાં ઠાલવી દીધા છે.

       સરકારને આશા છે કે જાન્યુઆરી સુધીમાં ડુંગળીની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોથી પણ ઓછી થઈ જશે, જે હાલમાં સરેરાશ રૂ.૫૭ પ્રતિ કિલો છે. 

           બીજી તરફ, મહારાષ્ટ્રમાં વિરોધને કાબૂમાં લેવા માટે સરકારે ખેડૂતો પાસેથી ૨ લાખ ટન ડુંગળી ખરીદવાના પ્રયાસો તેજ કર્યા છે. સરકારે ગયા અઠવાડિયે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જેની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.

            જાણકારોએ જણાવ્યું હતું કે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ આગામી ખરીફ ડુંગળીના પાકને ધ્યાનમાં રાખીને લાદવામાં આવ્યો છે. મોડી વાવણીને કારણે આ વર્ષે ઉત્પાદન થોડું ઓછું થવાની શક્યતા છે. આ ઉપરાંત, અન્ય મોટા ડુંગળી ઉત્પાદક દેશો ઇજિપ્ત અને તુર્કીએ પણ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ભારતના પાક પર દબાણ આવવાની શક્યતા છે.

         ઈજિપ્ત અને તુર્કી દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, ડુંગળીની સમગ્ર વૈશ્વિક માંગ ભારત તરફ વળી ગઈ છે. જેના કારણે ભારે ડ્યુટી અને એમઈપી હોવા છતાં પણ કેટલીક નિકાસ ચાલુ છે. આ કારણે સરકારને  નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની ફરજ પડી છે.

       નવેમ્બર ૨૦૨૩માં ભારતમાંથી લગભગ ૧,૨૦,૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી હતી, જે ગયા વર્ષના સમાન મહિનામાં નિકાસ કરતા લગભગ ૨૯ ટકા ઓછી છે, પરંતુ હજી પણ તે વધુ છે. ૭મી ડિસેમ્બર સુધીમાં લગભગ ૪૫,૦૦૦ ટન ડુંગળીની નિકાસ કરવામાં આવી છે.

     છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે ભાવ વધુ નરમ પડયા છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે.

✨✨🔎🔎🔎✨✨✨✨✨✨✨✨✨✨✨

ડુંગળીના ભાવ.

dungri bhav.

ડુંગળીના ભાવ આજના મહુવા.

ડુંગળીના ભાવ આજના 2022.

ડુંગળીના ભાવ આજના.

ડુંગળીના ભાવ ગોંડલ.

ડુંગળીના ભાવ 2022.

ડુંગળીના ભાવ શું છે.

ડુંગળી બજાર ભાવ.

ડુંગળી ના બજાર ભાવ 2023.

ડુંગળી નિકાસ.

ડુંગળી ની ખેતી pdf.

ડુંગળી ના ફાયદા.

ડુંગળી ની ખેતી.

ડુંગળી ની દવા.

ડુંગળી ના બીજ નો ભાવ.

ડુંગળી ના ભાવ.

ડુંગળી નું વૈજ્ઞાનિક નામ.

ડુંગળી ભાવ.

ડુંગળી નો રસ.

વાવેતર ડુંગળી મહારાષ્ટ્ર.

ડુંગળી ના ભાવ.

ડુંગળી માં કયો એસિડ હોય છે.

ડુંગળી ની ખેતી.

ડુંગળી ની ખેતી pdf.



















મંગળવાર, 12 ડિસેમ્બર, 2023

વરસાદની આગાહી, વરસાદની આગાહી ગુજરાતમાં, વરસાદની આગાહી લાઈવ, વરસાદની આગાહી ના સમાચાર, વરસાદની આગાહી કેટલા દિવસની છે, વરસાદની આગાહી લાઈવ 2023, વરસાદની આગાહી ગુજરાત, વરસાદની આગાહી કઈ તારીખે છે, વરસાદની આગાહી ગુજરાતમાં 2023, વરસાદની આગાહી હવામાન, હવામાન નકશા, હવામાન, હવામાન આગાહી વરસાદની 2023, હવામાનની આગાહી, હવામાન વિભાગ, હવામાન આગાહી આજની, હવામાન અમદાવાદ, હવામાન રાજકોટ ગુજરાત, હવામાન ભાવનગર ગુજરાત, હવામાન સુરત ગુજરાત, હવામાન લાઈવ,હવામાન આગાહી,ગુજરાત હવામાન,હવામાન લાઈવ gujarat,ઠંડી નુ હવામાન,હવામાન આગાહી વરસાદની,હવામાન નકશા, haહવામાન અમદાવાદ ગુજરાત

                 જય શ્રી ક્રિષ્ના,આજે આપડે અરબ સાગરમાં બનેલી સિસ્ટમ વીશે વાત કરવાના છીએ,અરબ સાગર માં કેવી સે સ્યક્લોન ની અસર,અને તેની ગુજરત માં શું થશે અસર, આપડે થોડા દિવસ થી ન્યૂઝ માં સાંભળતા હશે કે અરબ સાગર માં વાવાઝોડું ત્રાટકશે અને ગુજરત પર તેની અસર થશે,

   ચાલો તો આજે આપડે હવામાન વીશે  થોડું જાણીએ,હાલ માં અરબ સાગરમાં કવાર્તી નજીક એક લો પેશર બની રહ્યુ છે,જે આવનારા દિવસોમાં થોડું મજબૂત બનવાની શક્યતા છે.

જેના લીધે કેરળ અને કર્ણાટક માં ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે, આ વિસ્તારના દરિયા કિનારે પવન પણ ફૂકાવાની શક્યતા છે, હાલ આ સિસ્ટમ ની ગુજરત પર કોઈ અસર થવાની શક્યતા નહિવત્ છે, આ સિસ્ટમ આવનારા દિવસો માં મજબૂત પણ બનશે નહિ, તે અરબ સાગર માં જ સમાય જવાની શક્યતા છે,  


  ગુજરત માં આવનારા દિવસોમાં દિવસો ટૂંકા અને રાત લાંબી થવાની છે, જેના લીધે ઠંડી હવા ફૂજવા ની શક્યતા છે, 

✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨👇🔎🔎🔎🔎🔎✨ પોસ્ટ ને રિલેટેડ કી વર્ડ 🔎🔎👇

વરસાદની આગાહી,

વરસાદની આગાહી ગુજરાતમાં,

વરસાદની આગાહી લાઈવ,

વરસાદની આગાહી ના સમાચાર,

વરસાદની આગાહી કેટલા દિવસની છે,

વરસાદની આગાહી લાઈવ 2023,

વરસાદની આગાહી ગુજરાત,

વરસાદની આગાહી કઈ તારીખે છે,

વરસાદની આગાહી ગુજરાતમાં 2023,

વરસાદની આગાહી હવામાન,

હવામાન નકશા,

હવામાન,

હવામાન આગાહી વરસાદની 2023,

હવામાનની આગાહી,

હવામાન વિભાગ,

હવામાન આગાહી આજની,

હવામાન અમદાવાદ,

હવામાન રાજકોટ ગુજરાત,

હવામાન ભાવનગર ગુજરાત,

હવામાન સુરત ગુજરાત,

હવામાન લાઈવ,હવામાન આગાહી,ગુજરાત હવામાન,હવામાન લાઈવ gujarat,ઠંડી નુ હવામાન,હવામાન આગાહી વરસાદની,હવામાન નકશા, haહવામાન અમદાવાદ ગુજરાત

ગુરુવાર, 7 ડિસેમ્બર, 2023

વડાપ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ૧૭મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે,

      વડાપ્રધાન મોદી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પહેલાં ૧૭મી ડિસેમ્બરે ગુજરાત આવે તેવી શક્યતા છે. તેઓ સુરત આવી નવા બંધાયેલા આલીશાન ડ્રીમસિટી-હીરા બુર્સનું ઉદ્ઘાટન કરશે, સાથોસાથ સુરત ઍરપોર્ટની વિસ્તરણ યોજનાનું પણ અનાવરણ કરે તેવી સંભાવના છે.



        ડ્રીમસિટી- હીરા બુર્સનું ૬૬ લાખ ચોરસ્દા ફૂટનું શાનદાર બિલ્ડિંગ ૩૫.૫૪ એકરની વિશાળ જગ્યા ઉપર તૈયાર થઈ ચૂકયું છે અને ગત ધનતેરસથી ઉદ્ઘાટનની પ્રતીક્ષામાં છે. પંદર માળના નવ ટાવર ધરાવતા આ બુર્સમાં અંદાજે ૪,૫૦૦ ડાયમંડ ટ્રેડિંગની ઑફિસો પૈકી કેટલીક ઑફિસો જોકે લાભપાંચમથી શરૂ થઈ ચૂકી છે.

      એક તરફ અમેરિકામાં મંદી અને રશિયા-યૂક્રેન યુદ્ધને પગલે લગાવાયેલા પ્રતિબંધોને કારણે રાજ્યનો હીરા ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી માંદગીમાં પડયો છે, એવા સમયે સુરત હીરા બુર્સનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. 

     અલબત્ત, સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વર્તુળો કહે છે કે, રફ હીરાની રશિયાની મોટામાં મોટી કંપની અલરોઝા ઉપર અમેરિકા તથા યુરોપિયન યુનિયને લગાવેલા પ્રતિબંધની રાજયમાં ૧૦-૧૫ ટકા અસર છે, કેમ કે અલરોઝાનો પાતળી સાઇઝનો માલ ઘસાવવા માટે સુરત અને સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં આવે છે, 

   પરંતુ બીજી તરફ છેલ્લા બે અઢી વર્ષથી રાજ્યમાં હોંગકોંગ તરફથી મોટો બિઝનેસ મળી રહ્યો છે. જેમાં સીડી તથા હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશર એમ પ્રકારના હીરાનો કારોબાર રાજ્યમાં થઈ રહ્યો છે.

     જાણકાર સૂત્રો કહે છે કે, વડાપ્રધાન કાર્યાલય તરફથી ૧૭મી ડિસેમ્બરના ફંકશન અંગે હજી માત્ર મૌખિક જાણ થઈ છે, એટલે ફાઈનલ કાર્યક્રમ હજી ઘડામણમાં છે. વડાપ્રધાન મોદી છેલ્લે ૩૦-૩૧ ઑક્ટોબર દરમિયાન ગુજરાત આવ્યા હતા.

🔎🔎✨✨✨🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎🔎

  • surat diamond bourse: latest news,
  • Surat Diamond Bourse opening date,
  • Surat Diamond Bourse owner,
  • Surat Diamond Bourse office price,
  • Surat Diamond Bourse location,
  • Surat Diamond Bourse project details,
  • Surat Diamond Bourse opening date 2023,
  • Surat Diamond Bourse contact number,
  • surat diamond bourse: latest news,
  • Surat Diamond Bourse owner,
  • Surat Diamond Bourse office price,