શરૂઆત 18ફેબ્રઆરી,2016 માં શરૂ કરવામાં આવી હતી,

કેન્દ્રીય કૃષિ અને કુષક કલ્યાણ મત્રાલય થી શરૂ કરવામાં આવી હતી.

વિશેષતા/ઉદ્દેશ્ય :-

આ યોજના અંતર્ગત ચૂકવણીના હપ્તા (પ્રીમિયમ) નો દર ખેડૂતોની સુવિધા માટે એકદમ ઓછું રાખવામાં આવેલ છે.

  આ યોજના અંતર્ગત બધા જ પ્રકારના પાક રવીપાક, ખરીફપાક, રોકડિયાપાક, બાગાયતી પાકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 ખરીફપાક જેવા કે ડાંગર, મકાઇ, જુવાર, બાજરી, શેરડી વગેરે પાક માટે 2 % પ્રીમિયમથી ચુકવણી કરવામાં આવશે. 

 રવીપાક જેવા કે ઘઉં, જવ, ચણા, મસૂર, સરસવ વગેરેના પાક માટે 1.5 % પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.

 વાર્ષિક રોકડિયા અને બાગાયતીપાક વીમા બદલ 5% પ્રીમિયમની ચૂકવણી કરવામાં આવશે.

  સરકાર દ્વારા આપવામાં આવતી સબસડીની કોઈ મર્યાદા રહેશે નહિ.

જો બાકી રહેલ પ્રીમિયમ 90 % છે, તો પણ તેની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવશે. બાકી પ્રીમિયમ વીમા કંપનીઓને કેન્દ્ર અને રાજ્ય સરકાર સમાન રીતે વહેંચીને કરશે.

નવી પાક વીમા યોજના ‘એક રાષ્ટ્ર એક યોજના' વિષય ઉપર આધારિત છે.