રાજ્યમાં ફરી એકવાર ઉનાળાની ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. માત્ર બે જ દિવસમાં અમદાવાદ સહિત વિવિધ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો અઢીથી સાડા ચાર ડિગ્રી જેટલો ઊંચકાતા બપોરના ગરમી વધી છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ વિગતો મુજબ આજે શનિવારે રાજ્યના ૭ શહેરમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. સૌથી વધુ ૪૦.૪ ડિગ્રી તાપમાન સાથે મહુવા રાજ્યનું હોટેસ્ટ શહેર બન્યું છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ સાવ ઘટી ગયો હતો. ત્રણ દિવસથી અમદાવાદ શહેરમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને રાહત મળી હતી. પરંતુ બે દિવસથી સતત તાપમનનો પારો ઊંચકાઈ રહ્યો છે. અમદાવાદમાં બે દિવસ પહેલા મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી નોંધાયું હતું જે આજે વધીને ૩૮.૧ ડિગ્રી થઈ ગયુ છે.
સાબરકાંઠા,સાબરકાંઠા જીલ્લામાં આવેલ જોવાલાયક સ્થળ, સાબરકાંઠા જિલ્લા વીશે માહીતી, ગુજરાત ના જિલ્લા
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...
0 ટિપ્પણીઓ