👉છોટા ઉદેપુર જિલ્લામાં એશિયાનો સૌથી વધુ ફ્લોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે. છોટા ઉદેપુરના “કડીપાણી’ ખાતે ફલોરસ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે.
🤝‘‘લીલા રંગના આરસ’’તરીકે ઓળખાતો ડોલામાઇટ પણ છોટા ઉદેપુર જિલ્લામાંથી
મળી આવે છે.
👉છોટા ઉદેપુર જિલ્લાનો ડુંગરાળ પ્રદેશ “છોટા ઉદેપુરની ટેકરીઓ” એ વિંધ્યાચળ પર્વતમાળાનો ભાગ ગણાય છે.
👉છોટા ઉદેપુરમાં આવેલું સંખેડા કલાત્મક લાકડાના કોતરણી કામ (ખરાદી કામ) માટે જાણીતું છે.
👉છોટા ઉદેપુર જિલ્લાના “રાઠવા' કોમના પિઠોરાના ચિત્રો પ્રખ્યાત છે.
👉છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ખાતે નર્મદા નદી મહારાષ્ટ્ર રાજ્યમાંથી પ્રવેશ કરે છે. “હાંફેશ્વર”એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારા રાજ્યનું સંગમસ્થાન છે. ક્વાંટ મેણ નદીના કિનારે આવેલું છે.
🗾છોટા ઉદેપુર જિલ્લાની સરહદ :🗾
🤝ઉત્તરે પંચમહાલ અને દાહોદ જિલ્લા, પૂર્વમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં મહાર રાજ્ય અને નર્મદા જિલ્લો તથા પશ્ચિમમાં વડોદરા જિલ્લો આવેલ છે.
💨 છોટાઉદેપુર :-
💥મુખ્યમથક : છોટા ઉદેપુર
💫તાલુકા : 6
1. છોટા ઉદેપુર
2. સંખેડા
3. બોડેલી
4. કવાંટ
5. જેતપુર (પાવી)
6. નસવાડી
🏞️ક્ષેત્રફળ - 3087 ચો.કિ.મી.
♦ કુલ વસતી - 10,22,186
♦ જાતિપ્રમાણ - 923
💥 જોવાલાયક સ્થળો :-✨
છોટાઉદેપુર જિલ્લો એક સમયે જાણીતું રજવાડું હતું. “કાલી નિકેતન” અથવા “નાહ૨ મહેલ” તરીકે ઓળખાતું રાજમહેલ આવેલ છે. આ ઉપરાંત “કુસુમવિલાસ પૅલેસ’ આવેલ છે.
👉છોટા ઉદેપુર જિલ્લાની રાઠવા કોમ “પિઠોરા ચિત્રો” માટે જાણીતી છે.💥
♦ હાંફેશ્વર :- ક્વાંટ તાલુકાના હાંફેશ્વર ખાતે નર્મદા નદી પ્રવેશ કરે છે.સંખેડા :- ખરાદી કામ (લાકડાના કલાત્મક કોતરણીવાળા ફર્નિચર કામ) માટે જાણીતું છે.
✨બોડેલી :- જંડ હનુમાનજીનું મંદિર આવેલું છે.
✨મુખ્ય નદીઓ :- ઓરસંગ, મેણ, સુખી નદીના કિનારે વસેલું છે
✨ 🏞️સિંચાઈ યોજના :- સુખી નદી પર “સુખી ડેમ’ આવેલો છે.
✨ ખેતી :- છોટા ઉદેપુર જિલ્લામાં મકાઈનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. આ ઉપરાંત ડાંગર અને ઘઉં પણ થાય છે.
🕳️🕳️ખનીજ :- છોટા ઉદેપુર જિલ્લામાં આવેલ છોટા ઉદેપુરની ટેકરીઓના “આંબા ડુંગર”, 🏞️“ડુંગરગામ” અને “નૌતિટેકરી” વિસ્તારમાં એશિયાનો સૌથી વધુ ફલોરસ્પારનો જથ્થો સંગ્રહાયેલો છે.🪐
🤢છોટા ઉદેપુર જિલ્લાના છૂછાપુરા ગામ પાસે 🦠“લીલા રંગનો આરસ” કહેવાતો “ડોલામાઈટ પથ્થર’” મળી આવે છે.
• 🦿🦾ઉદ્યોગો :- 🌋છોટા ઉદેપુરમાં કડીપાણી ખાતે ફલોટ્સ્પાર શુદ્ધિકરણનું કારખાનું આવેલું છે. ફલોરસ્પારનો ઉપયોગ ધાતુઓ ઓગાળવા માટે તથા ખનીજતેલના શુદ્ધિકરણમાં થાય છે.🌡️સંખેડા ખાતે ખરાદીકામનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
*👉💥લોકકલા :–છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓમાં ‘રાઠવા’” કોમના “પિઠોરા” ના ચિત્રો જાણીતા છે.💫
💥💨સંખેડામાં લાકડાનું કલાત્મક કોતરણી કામ જાણીતું છે.
🙋મેળા :- કવાંટનો આદિવાસી મેળો - કવાંટ - ધુળેટીના ત્રીજા દિવસે.
*🌚🎃મ્યુઝિયમ / ગ્રંથાલય :- છોટાઉદેપુરમાં “આદિવાસી લોકકલા સંગ્રહાલય’ આવેલું છે.
0 ટિપ્પણીઓ