સોમચા ની ત્રૂતું સરૂ થતાં ગામડામાં ખેતરમાં અને ખેતરના શેઢે પાળે જૉવા મળતા ક્કોડા એ સાકભાજી માં હોઈ સે ભરપૂર વિટામિન અને પોષક તત્વો કુદરતી રીતે ખૂબ મહત્ત્વની ની છે.  કંકોડાના શાકભાજીમાં જરુરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પ્રચૂર માત્રામાં હોય છે. કંકોડામાં ફ્લેવોનોઈડ્સ, આયરન, ઝિંક, પોટેશિયમ, અમીનો એસિડ અને કેટલીય અન્ય વસ્તુઓ સાથે વિટામિન સીની સારી એવી માત્રા હોય છે. જયારે તેમાં કેલોરીની માત્રા ઓછી હોય છે.


આયુર્વેદમાં પણ આ શાકભાજીના અનેક ફાયદા ગણાવવામાં આવ્યા છે. શાકાહારી લોકો માટે તે ખૂબ જ સારો પ્રોટીનનો સ્રોત હોય છે. આજે અમે આપને તેના પોષક તત્વો અને ફાયદા વિશે વાત કરીશું. એક્ટા હોર્ટિકલ્ચરના રિપોર્ટ અનુસાર, કંકોડાના ૧૦૦૦ગ્રામ શાકમાં ૭.૭ ગામ કાર્બોહાઈડ્રેટ, ૩.૧ ગ્રામ પ્રોટીન, ૩.૧ ગ્રામ ફટ, ૩૦ ગ્રામ ફાઈબર અને ૧.૧ ગ્રામ મિનરલ્સ હોય છે. આ ઉપરાંત કંકોડામાં એસ્કોર્બિક એસિડ, કેરોટિન, થાયમિન, રાઈબોફ્લેવિન અને નિયાસિન જેવા જરુરી વિટામિન પણ જોવા મળે છે. જો આપ શાકાહી છો અને પ્રોટીનની કમીથી ઝઝૂમી રહ્યા છો, તો કંકોડાના શાકાભાજી ડાયટમાં સામેલ કરો. કંકોડામાં તમામ અન્ય પોષક તત્વો પણ જોવા મળશે, જે શરીરને મજબૂત બનાવવામાં આપને મદદ કરશે. આ શાકભાજીમાં ૮૦ ટકાથી વધારે પાણી હોય છે, જે લોકોને વજન કંટ્રોલ કરવામાં મદદ કરશે.



મોટાપા અને ઓવરવેટથી પરેશાન લોકો માટે કંકોડાની શાકભાજી ખૂબ જ ફાયદો આપશે. કંકોડા ફાઈટોન્યૂટ્રિએટ્સનો એક બહુ મોટો સ્રોત છે. આ છોડમાં જોવા મળતો એક પદાર્થછે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પદાર્થમાં વિવિધ બીમારીઓને રોકવામાં મદદ કરે છે. કંકોડા ચોમાસાની શાકભાજી છે, જે પોતાના એન્ટી એલર્જીને અને એનાલ્ડેસિક ગુણોના કારણે મૌસમી ખાંસી, શરદીઅને અન્ય એલર્જીને દૂર રાખવામાં સહાયક થાય છે. આ શાકભાજી ડાયબિટિઝના દર્દીને બ્લડ શુગર ઘટાડવામાં મદદગાર સાબિત થાય છે. કંકોડામાં પ્લાન્ટ ઈંસુલિન પ્રચુર માત્રામાં હોય છે. તેમાં ફાઈબર અને પાણીની માત્રા ભરપૂર હોય છે.

જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે એક સારો વિકલ્પ છે. આ શાકભાજી ઈમ્યૂનિટી બૂસ્ટ કરી શકેછે. કંકોડાની શાકભાજીમાં લ્યુટિન જેવા કેરોટીનોયડ આંખની બીમારીઓ, હૃદય રોગ અને ત્યાં સુધી કેન્સર જેવી બીમારીઓને રોકવામાં મદદ કરે છે. વિટામિન સી, એક પ્રાકૃતિક એન્ટીઓક્સીડેંટનો સ્રોત હોવાના કારણે તે શરીરમાં વિષાક્ત મુક્ત ક્વોને હટાવે છે. જેનાથી કેન્સરની કોશિકાઓ ઓછી થઈ જાય છે. કંકોડાના શાકભાજીમાં ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. કારણ કે તેમાં બીટા કેરોટીન, લ્યુટિન અને જેક્સેન્થિન જેવા વિવિધ ફ્લેવોનોઈડ હોય છે. આ ફ્લેવોનોઈડ સુરક્ષાત્મક ક્લીનિંગ એજન્સ તરીકે કામ કરે છે. તેમાં એન્ટી એજિંગ ગુણ પણ હોય છે, જે આપની સ્કિનને યુવાન રાખવામાં મદદ કરે છે.