કળસાર ગામ નજીક આવેલા બથેશ્વર મહાદેવ મંદિર ને પાંડવકાલિન માનવામાં આવે છે .એક લોકવાયકા પ્રમાણે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા . ત્યારે તેમણે કળસાર નજીક અરબી સમુદ્રના કિનારે ભગવાન આશુતોષની સ્થાપના કરી હતી . શિવજી અહીં સાક્ષાત બિરાજમાન છે, અરબી સમુદ્રની ઉછળતી લહેરો આજે પણ બથેશ્વર મહાદેવજીને જળાભિષેક કરે છે. વધુમાં પાંડવો અહીં રોકાયા ત્યારે શિવલીંગની સ્થાપના સાથે સમુદ્ર કિનારે એક કૂવો ખોદો હતો. આ કૂવાની ચારેય બાજુ ખારું પાણી અને ખારાશ વાળી જમીન હોવાછતાં ભગવાન ભોળાનાથના આશીર્વાદથી કૂવામાંથી મીઠું પાણી નીકળતું હતું. જેને બથેશ્વર મહાદેવજી નો ચમત્કાર માનવામાં આવે છે. આ પૌરાણિક કૂવો હાલ સારસંભાળ ના અભાવે હયાત નથી .પરંતુ તેનાં અવશેષો હજુ પણ જોવા મળે છે. બથેશ્વર મહાદેવજીની મહાકાય શિવલીંગ સાથે પણ એક લોકવાયકા જોડાયેલી છે. જેમા સામાન્ય રીતે કોઇ વ્યક્તિ શિવલીંગને બાથમાં લે તો દોરાવા જેટલું છેટું રહે છે . ભાગ્યે જ કોઇ પુણ્યશાળી વ્યક્તિની બાથમાં પુરેપુરું શિવલીંગ આવતું હોવા ની માન્યતા રહેલી છે .જેના કારણે આ મંદિર બથેશ્વર મહાદેવ તરીકે વિખ્યાત થયું છે. આ પૌરાણિક શિવ ધામ માં શ્રાવણ માસ દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો દર્શન અને મનોકામના પૂર્ણ કરી ધન્યતા અનુભવે છે. હર .. હર .. મહાદેવ ... , ઓમ નમઃ શિવાય ... ના નાદથી મંદિર સતત ગુંજતું ૨ હે છે.
સાબરકાંઠા,સાબરકાંઠા જીલ્લામાં આવેલ જોવાલાયક સ્થળ, સાબરકાંઠા જિલ્લા વીશે માહીતી, ગુજરાત ના જિલ્લા
* જોવાલાયક સ્થળો :- છોટા ઉદેપુર જિલ્લા ના જોવાલાક સ્થળો હિંમતનગર :- જૂનું નામ : અહમદનગર -> નાસિરૂદ્દીન અહમદશાહ પહેલાએ હાથમતી નદીના કિનારે “અહમદનગર” વસાવેલું, પાછળથી ત્યાંના રાજવી કુંવર હિંમતસિંહજીના નામ પરથી “હિંમતનગર” રાખવામાં આવ્યું. → મુસ્લિમ સલ્તનતકાળમાં બંધાયેલો રાજમહેલ ઉપરાંત ઈ.સ.1522 માં બંધાયેલ “કાઝી વાવ” આવેલી છે. દાહોદ જીલ્લા ની રગીન વાતો જાણો આકોદરા ઍનિમલ હૉસ્ટેલ :-હિંમતનગર પાસે આવેલા આકોદરા ગામ ખાતે ભારતની સૌપ્રથમ એનિમલ હૉસ્ટેલ”નું ઉદ્ઘાટન 4 મે, 2011ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ઈડર :- ઈડરનાં રમકડાં વખણાય છે. → સાબરકાંઠા જિલ્લાનો ભાગ પહેલા “ઈડર સ્ટેટ’” તરીકે ઓળખાતું હતું. ઈડરમાં “ઈડરિયો ગઢ” આવેલો છે. રાવ રણમલની ‘રણમલ ચોકી’ આવેલી છે. રાવ રણમલનો ઉલ્લેખ કવિ શ્રીધરે “રણમલ છંદ’માં કર્યો છે. → આ ઉપરાંત ઈડરિયા ગઢ ઉપર “રૂઠી રાણીનું માળિયું' નામનો મહેલ આવેલો છે. જેનો જીર્ણોદ્ધાર કુમારપાળે કરાવ્યો હતો. પ્રાંતિજ :- બ્રાહ્મણોની 7 કુળદેવીઓનાં મંદિર આવેલાં છે. તેમ જ ખડાયતા બ્રાહ્મણોના કુળદેવતા “કોટાયર્ક”નું મંદિર આવેલું છે. પ્રાંતિજ પાસ...