ઉદેશ્ય -
રાજયના ગામમાં વસતા નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી મળી રહે તે હેતુથી ગ્રામમિત્રની નિમણૂક કરવામાં આવે છે . જેને માસિક રું 1000 ના ઉચ્ચક વેતનથી નિયુક્ત કરાય છે .
* દરેક ગ્રામ પંચાયતમાં પાંચ ગ્રામમિત્ર હોય છે .*
1 ગ્રામમિત્ર કૃષિ : -
કૃષિને લગતી તેમ જ પશુપાલન મત્સ્યઉદ્યોગ , ખેડૂત યોજનાઓ , સહકાર વગેરે અંગેની માહિતી પૂરી પાડે છે .
2 ગ્રામમિત્ર આરોગ્યઃ-
સગર્ભા મહિલાઓની નોંધણી કરી તેમને પ્રામથિક આરોગ્ય કેન્દ્ર સુધી સારસંભાળ માટે પહોંચાડવી , બાળ મૃત્યુદર , માતૃમૃત્યુદરના કારણો શોધી તેનાથી સગર્ભાને માહિતગાર કરવી તથા સામાન્ય બીમારીઓમાં દવાઓનું વિતરણ કરવું .
3. ગ્રામમિત્ર શિક્ષણ : -
શાળા પ્રવેશોત્સવમાં સહાય કરે છે . 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણ મળી રહે તેની કાળજી રાખે છે . ગ્રામીણ નિરક્ષર વ્યક્તિઓને સાક્ષર બનાવે છે .
4. ગ્રામમિત્ર વિકાસ : -
સરકારશ્રીના વિવિધ કાર્યક્રમો , શિબિરો , તાલીમ કાર્યક્રમો વગેરેમાં હાજરી આપી અમલમાં મુકાયેલ યોજનાઓની જાણકારી તેમ જ પ્રચાર પ્રસાર અંગેની કામગીરી કરે છે . → ગ્રામ્યકક્ષાએ ચાલતા ઇ - ગ્રામ તથા વિકાસના કાર્યોથી લોકોને સતત માહિતગાર રાખે છે .
5. ગ્રામમિત્ર જનકલ્યાણ : -
તે આદિજાતિ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા માટે અમલમાં મુકાયેલ યોજનાઓની જાણકારી આપે છે . → ગ્રામમાં થતાં ગુનાઓ અંગે પોલીસને જાણ કરે છે તથા સ્થાનિકસ્તરે ગુનાઓની પતાવટ કરે છે તથા અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે દુર્વ્યવહાર ન થાય તેની તકેદારી રાખે છે .
0 ટિપ્પણીઓ